સરકાર અહીં 76000 કરોડ રૂપિયા ખર્ચીને બંદર બનાવશે, 12 લાખ નોકરીઓનો પણ દાવો

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતનું નવું બંદર બનાવવા માટે સરકાર આવનારા 5 વર્ષમાં 76 હજાર કરોડ ખર્ચ કરશે, જે વિશ્વના ટોપ 10 પોર્ટમાં સામેલ હશે. આ પ્રોજેક્ટ પર 76,200 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે, તો 12 લાખ નોકરીઓ ઉભી કરવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

Aaj Nu Rashifal, 20 June 2024: મકર રાશિના જાતકોએ પડોશીઓ સાથે સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર આગામી 5 વર્ષમાં 76 હજાર કરોડ ખર્ચ કરીને ભારતમાં નવું બંદર બનાવશે. ખરેખર, સરકારે મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલા વઢવાણ બંદરને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ પર 76,200 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. વઢવાણ બંદર પર કન્ટેનરની ક્ષમતા ૨૦ મિલિયન ટીઇયુ હશે. આનાથી બંદરની આસપાસના વિસ્તારમાં ૧૨ લાખ નોકરીઓ માટેની તકો પણ ઉભી થશે.

રેલવે અને એરપોર્ટ કનેક્ટિવિટી

આ બંદરની આસપાસ રેલ્વે અને એરપોર્ટની ઉત્તમ કનેક્ટિવિટી હશે. દેશમાં એક ખૂબ જ મોટા પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગઈ છે. 9 કન્ટેનર ટર્મિનલ અને મેગા કન્ટેનર પોર્ટ હશે. આ બંદરનો પ્રથમ તબક્કો 2029માં પૂર્ણ થશે. આ પોર્ટ વિશ્વના ટોપ 10માં હશે. તે મુંબઈથી લગભગ ૧૫૦ કિલોમીટર દૂર આવેલું છે.

આ હશે ડિઝાઇન

સરકારે કહ્યું છે કે આ બંદરના નિર્માણ માટે દરેક હિસ્સેદાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. બંદરની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તે સ્થાનિક લોકોના લાભ અનુસાર તૈયાર કરવામાં આવશે. એક મોટી વાત એ છે કે આ પોર્ટ ઇન્ડિયા મિડલ ઇસ્ટ કોરિડોર માટે ખૂબ મહત્વનું સાબિત થશે. આ બંદર પર કોસ્ટ ગાર્ડની અલગથી બર્થ હશે. આ ઉપરાંત ફ્યુઅલ બર્થ પણ હશે.

અહેવાલો અનુસાર, આ બંદરનું નિર્માણ જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીટી) અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. કંપનીમાં જેએનપીટી ૭૪ ટકા અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ ૨૬ ટકા હિસ્સો ધરાવશે.

12 લાખ નોકરીની તકો

આ બંદર ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર દ્વારા વેપાર કરવામાં પણ મદદ કરશે. સરકારને આશા છે કે, પીએમ ગાતીશક્તિ કાર્યક્રમમાં સામેલ આ પોર્ટ એક વખત કાર્યરત થઇ જાય પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 10 લાખ રોજગારીની તકો ઉભી થઇ જશે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE