મોદી સરકારને ઉથલાવવા અમેરિકાનું ષડયંત્ર

રૂસનો ધડાકો : અમેરિકાને આ ષડયંત્રમાં ચંદ્રબાબુ નાયડુ મદદ કરી રહ્યા હોવાનો પણ ખુલાસો : અમેરિકાની ગુપ્‍તચર એજન્‍સી CIA – આંધ્રના બેપ્‍ટીસ્‍ટ ચર્ચ અને નાયડુની ભૂંડી ભૂમિકા : બધા વિપક્ષી : નેતાઓના સંપર્કમાં : ટુંક સમયમાં મોદી સરકાર વિરૂધ્‍ધ અવિશ્વાસ પ્રસ્‍તાવ લવાશે : રૂસનો દાવો
વડાપ્રધાન  મોદી વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્‍યા છે. એવું માનવામાં આવે છે કે દુનિયાના મોટાભાગના દેશો મોદીને સાંભળે છે. ભારત કોઈ વિદેશી શક્‍તિ સામે ઝૂકતું નથી. રશિયા પાસેથી તેલ ખરીદવા સહિતની ભારતની ઘણી વિદેશ નીતિઓએ વિરોધ છતાં અમેરિકા સહિત ઘણા દેશોના ગુસ્‍સાને વ્‍હોરી લીધો છે. હવે એ વાત સામે આવી છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્‍થા CIA મોદી સરકારને ઉથલાવી પાડવા માટે પડદા પાછળ મોટા પાયે પ્રયાસો કરી રહી છે. રશિયાના સરકારી મીડિયા સ્‍પુટનિકે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે CIA આંધ્રપ્રદેશના બેપ્‍ટિસ્‍ટ ચર્ચ અને વિપક્ષી નેતાઓના સંપર્કમાં છે અને આંધ્ર પ્રદેશના મુખ્‍યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મદદથી મોદી સરકારને પછાડવા માટે એક મોટું ષડયંત્ર રચી રહી છે.
સ્‍પુટનિક મીડિયાના આ અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. આ પહેલા અમેરિકા પર પણ બાંગ્‍લાદેશ સરકારને ઉથલાવી દેવાનો આરોપ લાગ્‍યો છે. હવે સ્‍પુટનિકે તેના અહેવાલમાં ભાજપ સરકારને તોડી પાડવાનું અમેરિકન ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે. રિપોર્ટમાં આના સમર્થનમાં કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. રશિયન મીડિયાએ અમેરિકી રાજદૂત અને કેટલાક અધિકારીઓની ભારતના વિપક્ષી નેતાઓ સાથે વારંવાર મુલાકાત કરવા પર ચિંતા વ્‍યક્‍ત કરી છે.
રશિયન મીડિયા અનુસાર, મોદી સરકાર વિરુદ્ધ ટૂંક સમયમાં અવિશ્વાસ પ્રસ્‍તાવ લાવવામાં આવી શકે છે. આ માટે મોટા પાયે પ્રયાસો થઈ રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે વિપક્ષી નેતાઓના સતત સંપર્કમાં રહેલી અમેરિકી ગુપ્તચર એજન્‍સી CIAએ કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી છે અને વાતચીત કરી છે. યુએસ કોન્‍સ્‍યુલ જનરલ જેનિફર લાર્સન તાજેતરમાં હૈદરાબાદમાં AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીને મળ્‍યા હતા. આ પહેલા તે મુખ્‍યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પણ મળી હતી. એટલું જ નહીં તેઓ તેલંગાણાના મુખ્‍યમંત્રી કે. ચંદ્રશેખર રાવને પણ મળ્‍યા હતા. રશિયન મીડિયાએ પોતાના રિપોર્ટ્‍સમાં આ તમામ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે લાર્સન હૈદરાબાદમાં અમેરિકન મિશન ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્‍વ કરી રહ્યો છે અને આ સંગઠન દ્વારા અમેરિકન ઈન્‍ટેલિજન્‍સ એજન્‍સી સીઆઈએ બેપ્‍ટિસ્‍ટ ચર્ચની મદદ લેવાનો પ્રયાસ કરી રહી છે.
સ્‍પુટનિક અહેવાલ આપે છે કે સીઆઈએ કેટલાક વિપક્ષી નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને મોદી સરકાર સામે લોકોમાં અવિશ્વાસ પેદા કરવા માટે પરિસ્‍થિતિઓ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે સીઆઈએનું પહેલું લક્ષ્ય ચંદ્રબાબુ નાયડુની મદદથી તેમની મદદ પરત મેળવવાનું છે. બેપ્‍ટિસ્‍ટ ચર્ચ દ્વારા નાયડુને તેમના ગણમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે જો નાયડુ સમર્થન પાછું ખેંચવામાં ખચકાટ અનુભવે છે, તો વિપક્ષને તેના માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની સૂચના આપવામાં આવી છે. રશિયન મીડિયાએ કહ્યું છે કે અમેરિકી કોન્‍સ્‍યુલ જનરલ અને રાજદ્વારીઓ દ્વારા વિપક્ષી નેતાઓ સાથેની મુલાકાત ચિંતાનો વિષય છે.
રશિયાનું કહેવું છે કે આ અભિયાન માટે મોદી વિરોધી નેતાઓ, સામાજિક કાર્યકરો, સોશિયલ મીડિયા હસ્‍તીઓ, ઉદ્યોગપતિઓ અને કલાકારો સહિત ઘણા લોકોનો વ્‍યવસ્‍થિત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રશિયાના સ્‍પુટનિકે તેના રિપોર્ટમાં કહ્યું કે જુલાઈ ૨૦૨૪માં યુએસ એમ્‍બેસીએ ભારતમાં ‘ઇન્‍ફલ્‍યુઅન્‍સ ટુ ઈમ્‍પેક્‍ટ’ નામની ઈવેન્‍ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અભિષેક બેનર્જીને આમંત્રણ આપવામાં આવ્‍યું હતું, જેઓ કોંગ્રેસના પ્રચારકોને પ્રોત્‍સાહન આપે છે અને યુટ્‍યુબ દ્વારા અર્ધસત્‍ય ફેલાવીને મોદી સરકાર વિરૂદ્ધ કામ કરે છે.
સ્‍પુટનિકે તેના અહેવાલમાં જણાવ્‍યું છે કે ભારતમાં રહેતા અને ભારત વિરોધી વલણ ધરાવતા હિન્‍દુ તહેવારો, રિવાજો અને દેવી-દેવતાઓ વિરૂદ્ધ બોલનાર આરજે સાયમાને યુએસ એમ્‍બેસી દ્વારા ‘સમાનતાના રાજદૂત’નું બિરૂદ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સ્‍પુટનિકનું કહેવું છે કે આ બધું ભારતના લોકોને મોદી સરકાર વિરૂદ્ધ ભડકાવવાના સુનિયોજિત કાવતરાનો ભાગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE