બિહારમાં નક્સલવાદનો સૂર્યાસ્ત: છેલ્લો સશસ્ત્ર માઓવાદી શરણાગતિએ, રાજ્ય હવે ‘નક્સલમુક્ત’ જાહેર થયાનો પોલીસનો દાવો

બિહારને હવે “નક્સલમુક્ત” જાહેર કરવામાં આવ્યું છે..બિહાર પોલીસે ગુરુવારે દાવો કર્યો હતો કે ₹3 લાખનું ઇનામી રકમ ધરાવતો ટોચનો માઓવાદી સુરેશ કોડા ઉર્ફે મુસ્તકીમના શરણાગતિ સ્વીકારવાથી રાજ્ય “નક્સલમુક્ત” થઈ ગયું છે..બિહાર પોલીસ મુખ્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર કોડા સામે ઓછામાં ઓછા 60 કેસ નોંધાયેલા હતા. જેમાંથી ઘણા કડક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલા હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોડાએ બુધવારે મુંગેર જિલ્લામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સમક્ષ ત્રણ એસોલ્ટ રાઇફલ, સેંકડો કારતૂસ અને મેગેઝિન અને કેટલીક રોકડ રકમ સાથે આત્મસમર્પણ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર શરણાગતિ સ્વીકારનારા આતંકવાદીઓને પુનર્વસન કરવા માટે ચલાવવામાં આવતી”શરણાગતિ-સહ-પુનર્વસન યોજના” હેઠળ કોડાને લાભ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ યોજના હેઠળ કોડા માટે જાહેર કરાયેલી ઈનામની રકમ (રૂ. 3 લાખ) ઉપરાંત 5 લાખ રૂપિયાનું પ્રોત્સાહન અને 36 મહિના માટે વ્યાવસાયિક તાલીમ માટે 10,000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “કોડાના શરણાગતિ સાથે, બિહારમાં નક્સલવાદી નેટવર્ક સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે અને આખું રાજ્ય નક્સલ મુક્ત થઈ ગયું છે.” પોલીસનો દાવો છે કે સશસ્ત્ર માઓવાદી સુરેશ કોડા ઉર્ફે મુસ્તકીમ બિહારનો છેલ્લો નક્સલવાદી હતો.

મુંગેર રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) રાકેશ કુમારે જણાવ્યું હતું કે નક્સલવાદથી પ્રભાવિત 23 જિલ્લાઓમાંથી કોઈપણમાં હાલમાં કોઈ સશસ્ત્ર નક્સલવાદી ટુકડી સક્રિય નથી..મુંગેર જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) નિખિલ ધનરાજ નિપ્પાનીકરે જણાવ્યું હતું કે સુરેશ કોડાને ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિ હેઠળ નિર્ધારિત લાભો આપવામાં આવશે.

સુરેશ કોડાના પત્ની પ્રમિલા દેવીએ તેમના શરણાગતિના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે હવે પરિવારમાં રાહત અને ખુશીનું વાતાવરણ છે. 2012માં બિહારના 23 જિલ્લાઓ નક્સલવાદી પ્રવૃત્તિઓથી પ્રભાવિત હતા.1970ના દાયકામાં રાજ્યમાં નક્સલવાદીઓનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો હતો..

મધ્ય બિહારના જિલ્લાઓ નક્સલવાદી આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત હતા…કેન્દ્ર અને રાજ્ય સરકારોના સતત પ્રયાસોને કારણે, 2025માં એક પણ નક્સલવાદી ઘટના નોંધાઈ ન હતી..તેજ વર્ષે 220 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી..જે રાજ્યમાં શાંતિ અને વિકાસ તરફ એક મોટી સફળતા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE