રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી મેઘરાજાએ અનેક જિલ્લામાં ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચનાં વલિયામાં14 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. . જ્યારે સોનગઢમાં 10 ઈચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 8 ઈંચ, ડાંગનાં વધઈમાં 8 ઈંચ, ભરૂચમાં 7.5 ઈંચ, તાપીનાં ઉચ્છલ અને ડોલવણમાં 7-7 ઈંચ, નડિયાદ, વાંસદા અને સુબિરમાં 6.5 ઈંચ, લુણાવાડામાં 5.5 ઈંચ, કપડવંજ, મોરવાહડફ અને કરજણમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

વાલિયા- 12 ઈંચ
સોનગઢ – 10 ઈંચ
વ્યારા 9 ઈંચ
માંગરોળ – 8 ઈંચ
વઘઈ 8 – ઈંચ
ભરૂચ તાલુકો – 7.5 ઈંચ
તિલકવાડા – 7.7 ઈંચ
ઉચ્છલ -7.7 ઈંચ
ડોલવણ – 7.7 ઈંચ
નડીયાદ – 6.8 ઈંચ
વાંસદા – 6.5 ઈંચ
સુબિર – 6.5 ઈંચ
લુણાવાડા – 5.5 ઈંચ
કપડવંજ – 5 ઈંચ
મોરવાહડફ – 5 ઈંચ
કરજણ – 5 ઈંચ
પ્રાંતિજ – 4.5 ઈંચ

અમદાવાદમાં છેલ્લા 24 કલામાં સરેરાશ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. નરોડા વિસ્તારમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ વરસ્યો છે.

 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE