સુરતનો વિચિત્ર કિસ્સો: 12 કલાકની નોકરી કરતો પતિ રજા નહી લેતો હોવાથી પત્નીની આત્મહત્યા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે પતિ, બે પુત્રી તથા ભાઈ સાથે રહેતી 24 વર્ષની પરિણીતાએ આપઘાત કર્યો હતો. રવિવારે તબિયત સારી ન હોય પત્નીએ રજા લેવાનું કહ્યું પણ સોમવારે રજા હોવાથી પતિ નોકરીએ ગયો આથી પત્નીએ રાત્રે જ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

12 કલાકની નોકરી કરતો પતિ રજા લઇને સમય આપતો ન હતો

બગુમરા ગામે મહાદેવ સોસાયટીમાં સોનીકુમારી ભોલાકુમારસિંગ (ઉ.વ.૨૪, મૂળ રહે. મગરધા, જી.સાગર, બિહાર) પતિ ભોલાકુમારસિંગ અને બે પુત્રી તથા નાના ભાઈ મુનાકુમાર સાથે રહેતી હતી. સોનીકુમારીના છ વર્ષ પહેલા સામાજિક રીત રિવાજ મુજબ ભોલાકુમારસિંગ સાથે લગ્ન થયેલા હતા અને લગ્નજીવનમાં બે દીકરી છે. ભોલાકુમારસિંગની નોકરી 12 કલાકની હોવાથી તે પત્નીને ઓછો સમય આપી શકાતો હતો. જેથી સોનીકુમારી અવારનવાર પતિ ભોલાકુમારસિંગને નોકરીમાંથી રજા લઈ સમય આપવા કહેતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE