બાબરા અમરેલી ચોકડી પાસેના પૂજા રેસ્ટોરેન્ટમાં વેંચાતી વર્ણીરાજ કંપનીની છાસથી લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ

ભારત હેડલાઈન, તા.૧૧ બાબરા અમરેલી ચોકડી પાસેના પુજા રેસ્ટોરેન્ટમાં વેંચાતી વર્ણીરાજ કંપનીની છાસથી લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દુકાનમાં વેંચાતી છાશનો જથ્થો પુરો થઈ ગયેલ તેની આજુબાજુમાં રહેલ નાસ્તાની રેકડીઓ માંથી આ છાશનું વેંચાણ થાય છે. જે જગ્યાએ છાસના બે પેકીંગ લીધા અને તેમાંથી એક છાશનુ પૈકીંગ ખરાબ નીકળતા ગ્રાહકે સ્થળ પર ફેંકી દીધલ અને બીજી છાશના પેકીંગની છાશ પીવાથી અમોને ફુડ પોઈઝની અસર પણ થતાં ગ્રાહક દ્વારા ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવેલ છે. ફરિયાદ કર્યાના ૯ દિવસ બાદ પણ ફૂડ વિભાગ દ્વારા કોઈ તટસ્થ તપાસ કરવામાં આવેલ નથી. તેમજ વરણીરાજ બટર મિલ્ક છાશ જેની ઉત્પાદન સનાતન ડેરી ફાર્મ રામાણી શેરી ગોકુલ ચોક મું. ગોખલાણા તાલુકો જસદણ, જી.રાજકોટ વાળાએ FSSAI Lic No 10720019 Joe 000098 લીધેલ છે. તેના દ્વારા કરવામાં આવે અને તેનું સંચાલન કરવામાં આવતો વીજ પુરવઠોની જરૂર પડે પણ તે બાજુના રહેણાંક વાળાના મકાનમાંથી કનેકશન લઈ ઔદ્યોગિક હેતુ માટે વપરાશ થાઈ.

તેમાં પણ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર મદદગાર થઈ રહ્યા છે. આમ ખાધ-ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી વરણીરાજ બટર મિલ્ક છાશના ઉત્પાદક તેમની કંપની માંથી છાશની પેકીંગમાં ઉત્પાદન તારીખ અને એક્સપારીય તારીખ છાપ્યા વગરની જાહેરમાં છાશ વેંચી આસપાસની જાહેર જનતાનું આરોગ્ય જોખમમાં મુકે છે. તો ગ્રાહકો અને પ્રજામાં સવાલ એ ઉભો થયો કે આવા ડેરીપારકો સામે સરકાર સખ્ત પગલાં લે. આ કંપનીના ઉત્પાદકો અને વિક્રેતા જાણીજોઈને પ્રજાના જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા તેવું જણાઈ આવે છે.તો ઉકત કંપની સામે ફોજદારી કાર્યવાહી કરવા ઉઠી માંગણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE