મહારાષ્ટ્રના પુણેમાં બે અલગ-અલગ વિસ્તારોમાં ઝેરી દારૂ પીવાના કારણે 11 લોકોના મોત થયા હતા. (સમગ્ર આંકડાની વાત કરીએ તો) પિંપરી-ચિંચવડના દાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે પુણેના કાલે પડલ વિસ્તારમાં 3 અને હડપસર વિસ્તારમાં 2 લોકોના મોત થયા છે. આ રીતે કુલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેવી રીતે બની ઘટના?
એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ઝેરી અને સ્પિરિટ યુક્ત દારૂ યોગેશ વાનખેડે નામના વ્યક્તિએ તૈયાર કર્યો હતો. આ દારૂ પુણે અને પિંપરી-ચિંચવડના અલગ-અલગ વિસ્તારોમાં વેચવામાં આવ્યો હતો. દાપોડી, ફુગેવાડી, હડપસર અને કાલે પડલ વિસ્તારમાં લોકોએ આ દારૂ પીધો હતો. દારૂ પીધાના થોડા સમય બાદ અચાનક તેમની તબિયત બગડવા લાગી હતી અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. તેના થોડી જ વાર બાદ તેમના મોત થઈ ગયા હતા. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો.
આરોપી ગેરકાયદેસર દારૂ વિક્રેતાની ધરપકડ
યોગેશ વાનખેડે એક ગેરકાયદેસર દારૂ વેચનાર (બુટલેગર) હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Post Views: 79











