સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: DNA ટેસ્ટમાં પિતા સાબિત ન થાય તો ભરણપોષણ આપવું પડશે નહીં

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો DNA તપાસ દ્વારા સાબિત થઈ જાય કે કોઈ વ્યક્તિ બાળકનો જૈવિક પિતા (Biological father) નથી. તો તેને બાળકના પાલન-પોષણ માટે ભરણપોષણ આપવા માટે મજબૂર કરી શકાય નહીં. ભલે તે બાળકનો જન્મ લગ્ન ગાળા દરમિયાન જ કેમ ન થયો હોય.

શું છે સમગ્ર મામલો?

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.કોર્ટ એક મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં તેણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.

કોર્ટના મહત્વના અવલોકનો:

  • વૈજ્ઞાનિક પુરાવાનું મહત્વ: જો DNA ટેસ્ટ દ્વારા પિતૃત્વ નકારવામાં આવે, તો ભરણપોષણનો આદેશ આપી શકાય નહીં.

  • કાયદો vs વિજ્ઞાન: વૈજ્ઞાનિક પુરાવા (DNA) ને કાયદાકીય અનુમાન (Presumption) કરતા વધુ મહત્વ આપવામાં આવશે.

  • સ્વૈચ્છિક સંમતિ: જે તે વ્યક્તિએ પોતે ટેસ્ટ માટે સંમતિ આપી હતી અને રિપોર્ટ પર કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. તેથી તેને સ્વીકારવો અનિવાર્ય છે.

જૂના કેસોનો સંદર્ભ

અદાલતે આ ચુકાદો આપતી વખતે અગાઉના મહત્વના કેસોને પણ ટાંક્યા હતા:

  1. અપર્ણા અજિંક્ય ફિરોદિયા વિરુદ્ધ અજિંક્ય અરુણ ફિરોદિયા

  2. ઈવાન રતિનમ વિરુદ્ધ મિલાન જોસેફ

  3. નંદલાલ બડવાઈક વિરુદ્ધ લતા બડવાઈક

કોર્ટે નોંધ્યું કે સામાન્ય રીતે DNA ટેસ્ટનો આદેશ ખૂબ જ સાવધાનીપૂર્વક આપવો જોઈએ. પરંતુ આ કિસ્સામાં ટેસ્ટ પહેલેથી જ થઈ ગયો હતો અને રિપોર્ટને પડકારવામાં આવ્યો ન હતો. તેથી તેને અંતિમ માનવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE