નવા નાણાકીય વર્ષ (FY27) ની પ્રથમ મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્રીય બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. જેનો સીધો અર્થ એ છે કે, તમારા હોમ લોન, કાર લોન કે પર્સનલ લોનના EMI હાલ સ્થિર રહેશે. તેમાં કોઈ વધારો કે ઘટાડો થશે નહીં.
આ પણ વાંચો…
ગુજરાતીઓના અપમાન મુદ્દે ખડગે નમ્યા: સોશિયલ મીડિયા પર માફી માંગી, ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું- ‘દેર આયે દુરસ્ત આયે’
મુખ્ય જાહેરાતો: એક નજરે
-
રેપો રેટ:25% પર યથાવત (સતત ત્રીજી વખત કોઈ ફેરફાર નહીં).
-
પોલિસી સ્ટેન્સ: ‘ન્યુટ્રલ’ (Neutral) વલણ અપનાવવામાં આવ્યું છે.
-
મોંઘવારી દર (FY27): નાણાકીય વર્ષ 2026-27 માટે રિટેલ મોંઘવારી દરનો અંદાજ 6% રાખવામાં આવ્યો છે.
-
GDP ગ્રોથ: આર્થિક વિકાસ દર અંગે પણ ગવર્નરે હકારાત્મક સંકેતો આપ્યા છે.
કેમ ન બદલાયા વ્યાજ દરો?
ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર. આરબીઆઈનું મુખ્ય ધ્યાન મોંઘવારીને કાયમી ધોરણે 4% ના લક્ષ્યાંક સુધી લાવવાનું છે. મોંઘવારી અત્યારે નિયંત્રણમાં દેખાઈ રહી છે. પરંતુ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધઘટ અને મિડલ ઈસ્ટના યુદ્ધના હાલાત જોતા સાવચેતી રાખવી જરૂરી છે. ન્યુટ્રલ સ્ટેન્સનો અર્થ એ છે કે, ભવિષ્યમાં આંકડાઓને આધારે આરબીઆઈ દરો વધારી કે ઘટાડી પણ શકે છે.
મોંઘવારી પર RBIનું વલણ
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026-27 માટે 4.6% મોંઘવારી દરનો અંદાજ મૂક્યો છે. ગવર્નરે કહ્યું કે. ખાદ્ય પદાર્થોની કિંમતો પર કડક નજર રાખવામાં આવી રહી છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા 4% ના ટાર્ગેટને હાંસલ કરવા માટે નાણાકીય નીતિને હાલ સખત અને સંતુલિત રાખવી અનિવાર્ય છે.
સામાન્ય માણસ પર શું અસર થશે?
-
લોન લેનારા માટે: જો તમે નવી લોન લેવાનું વિચારી રહ્યા છો. તો વ્યાજ દરો ગયા મહિના જેટલા જ રહેશે. EMI ઘટવાની રાહ જોઈ રહેલા લોકોની રાહ હજુ થોડી વધી છે.
-
બચતકર્તાઓ માટે: ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતું વ્યાજ હાલ સ્થિર રહેશે. જે બચત કરનારાઓ માટે સારા સમાચાર છે.
આરબીઆઈએ ફરી એકવાર ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે આ એક સંતુલિત કદમ માનવામાં આવે છે. હવે સૌની નજર જૂન મહિનામાં મળનારી આગામી MPC બેઠક પર રહેશે.
Post Views: 81











