સારવાર મળે તે પહેલા જ શ્વાસ થંભી ગયા! રાંચી-દિલ્હી એર એમ્બ્યુલન્સ દુર્ઘટનામાં ભારે જાનહાનિ.

રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ. અહેવાલો અનુસાર, તેમાં સાત લોકો સવાર હતા. એક દર્દીને રાંચીથી દિલ્હી લઈ જવામાં આવી રહ્યો હતો. આ અકસ્માત ઝારખંડના ચતરામાં થયો હતો. એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ બપોરે 1:37 વાગ્યે રવાના થઈ હતી. ફ્લાઇટનો દિલ્હીમાં આગમનનો સમય 4:30 વાગ્યે હતો.એર એમ્બ્યુલન્સમાં સારવાર લઈ રહેલા દર્દીનું મૃત્યુ થયું છે. દર્દીની ઓળખ 41 વર્ષીય સંજય કુમાર તરીકે થઈ છે..જેને દાઝી જવાથી ઈજા થઈ હતી. અકસ્માતની માહિતી મળતાં, ચતરા જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. રાજ્ય સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે તૈયારી કરી રહ્યા છે.

અકસ્માતની જાણ થતાં જ ચતરા જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.ચતરા પોલીસ અધિક્ષક સુમિત અગ્રવાલે જણાવ્યું કે,ગ્રામજનોએ વિમાન દુર્ઘટનાની જાણ કરી હતી.

રાજ્ય સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે તૈયારીઓ શરૂ કરી છે.અકસ્માતનું કારણ નક્કી કરવા માટે ટેકનિકલ તપાસ કરવામાં આવશે. વહીવટીતંત્રની પ્રાથમિકતા રાહત અને બચાવ કામગીરીની છે. ઘટનાસ્થળેથી સત્તાવાર પુષ્ટિ થયા પછી જ વિગતવાર માહિતી ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE