મુંબઈમાં મોટી દુર્ઘટના, ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી મુસાફરો ભરેલી બોટ દરિયામાં ડૂબી

ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો.

દેશની આર્થિક રાજધાની મુંબઈથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં સ્થિત પ્રસિદ્ધ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. પોલીસે પણ આ ઘટનાની માહિતી શેર કરી છે. પોલીસે કહ્યું છે કે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. પોલીસે કહ્યું છે કે જે બોટ પલટી ગઈ તેમાં કેટલા મુસાફરો હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

30 વધારે લોકો સવારી રહ્યા છે

મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. જે બોટમાં ઘણા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા તે બોટ પાણીમાં ડૂબી ગઈ હતી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અને લોકોના જણાવ્યા મુજબ આ બોટ પર 30 વધારે લોકો સવારી કરી રહ્યા હતા. ત્યારે અચાનક બોટ એક તરફથી નમવા માંડી હતી. જોકે આ દરમિયાન રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

કેવી રીતે થયો અકસ્માત?

પ્રાથમિક માહિતી મુજબ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ જઈ રહેલી બોટ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ પછી નજીકની બોટ દ્વારા બોટમાં સવાર મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. હાલમાં, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

બચાવ કામગીરી ચાલુ છે

મળતી માહિતી મુજબ એલિફન્ટા જઈ રહેલી બોટનું નામ નીલકમલ હતું. તે ઉરણ, કારંજામાં ડૂબી ગયો છે. આ બોટમાં 30 થી 35 મુસાફરો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ અને યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE