કિશાનપરા ચોકથી રૈયા ચોકડી સુધી રાજકોટ બંધના એલાન અંગેની પત્રિકાનું કરાયું વિતરણ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 25મી જુને રાજકોટ અડધો દિવસ બંધ રહે તે માટે અને અગ્નિકાંડના પીડિતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા જડબેસલાક બંધના એલાનને સંદર્ભે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા સમિતિના આગેવાનો દ્વારા આજરોજ શહેરના કિસાનપરા ચોકથી રૈયા ચોકડી સુધી પગપાળા દ્વારા દરેક વેપારી આગેવાનો અને જાહેર જનતાને 25મીના રાજકોટ અડધો દિવસ બંધના એલાનમાં જોડાવા માટે અનુરોધ કરતી પત્રિકા વિતરણ માં રાજકોટ બંધના એલાન બાબતે લોકજાગૃતિ અંગે શહેરના આગેવાનો દ્વારા પત્રિકા વિતરણ કરી હતી. રાજકોટ ખાતે ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષ જીંદગી હોમાઈ ગઈ છે ત્યારે ગુજરાતના ભ્રષ્ટાચારી શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગમાં કોઈકનો લાડકવાયો તો કોઇકનો કંધોતર સરકારના ભ્રષ્ટ તંત્રને પગલે છીનવાયો છે.રાજકોટ ખાતે ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષ જીંદગી હોમાઈ ગઈ છે ત્યારે ગુજરાતના ભ્રષ્ટાચારી શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગમાં કોઈકનો લાડકવાયો તો કોઇકનો કંધોતર સરકારના ભ્રષ્ટ તંત્રને પગલે છીનવાયો છે.
સમગ્ર ઘટનામાં નાના કર્મચારીઓ ને સકંજા માં લઈ સરકાર મોટા મગરમચ્છોને છાવરી રહી છે. અત્યારે આપણે સૌ સાથે મળી ન્યાયની લડત નહીં લડીએ તો આ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ શાસકો દ્વારા આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહેશે. રાજકોટ બંધના એલાન સંદર્ભે આજની પત્રિકા વિતરણમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, રાજકોટ શહેર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, મહેશભાઈ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી મકવાણા, ગોપાલભાઈ અનડકટ, સલીમભાઈ કારિયાણી, ઘનશ્યામસિંહ જાડેજા, જીતુભાઈ ઠાકર, દિપ્તીબેન સોલંકી, મકવાણા શાંતાબેન, નયનાબા જાડેજા, જયાબેન ચૌહાણ, મીનાબેન જાદવ, મનીષાબા વાળા, જશુબા વાંક, હિરલબેન રાઠોડ, અહેસાન ચૌહાણ, દેવશીભાઈ દાફડા, રઘુરામ યાદવ, કૃષ્ણદત રાવલ, ગોવિંદભાઈ સભાયા, ચિંતનભાઈ દવે, સુરેશભાઈ બથવાર, મયુરભાઈ શાહ, હિતેશભાઈ વાઘેલા, ભાવેશભાઈ વાઘેલા, મયુરસિંહ પરમાર સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.