પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા સરકારી શાળાના બાળકોને વિનામૂલ્યે નોટબુક તથા ફુલસ્કેપ ચોપડાનું કરાયું વિતરણ

પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાલજીભાઈ બારસીયાના આર્થીક સહયોગથી તેમના પિતાશ્રી સ્વ. ડાયાભાઈ તથા માતૃશ્રી સ્વ. શાંતાબેનની સ્મૃતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોને વર્ષ દરમ્યાનની જરૂરિયાત મુજબના નોટબુક તથા ફુલસ્કેપ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ પૂ. રણછોડ દાસજી મહારાજ પ્રાથમિક શાળા નં. 15 ખાતે કરવામાં આવ્યું છે. વિતરણ કાર્યક્રમમાં લાલજીભાઈ બારસીયા, મનસુખભાઈ રામાણી, સુરેશભાઇ જાદવ, પ્રવિણભાઈ પરસાણા તથા સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ ઉપસ્થીત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE