મધ્ય પૂર્વ (Middle East) માં વધતા જતા યુદ્ધના જોખમ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ શાંતિનો પક્ષ લીધો છે…ભારતમાં UAE ના રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ સ્પષ્ટ કર્યું છે કે,તેમનો દેશ આ સંઘર્ષમાં પક્ષકાર બનવા માંગતો નથી. આ સાથે જ તેમણે વૈશ્વિક શાંતિ સ્થાપવામાં ભારત અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાને અત્યંત નિર્ણાયક ગણાવી છે.
🚨One phone call from Mr Modi to Iran and Israel can solve this conflict: Hussain Hassan Mirza UAE envoy pic.twitter.com/ycFSXmtQZM
— India & The World (@IndianInfoGuid) March 9, 2026
UAE નો સંઘર્ષમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર
રાજદૂત મિર્ઝાએ જણાવ્યું હતું કે, UAE તેની ધરતીનો ઉપયોગ કોઈ પણ પક્ષ દ્વારા હુમલા કરવા માટે કરવા દેશે નહીં. તેમની મુખ્ય વાતો આ મુજબ છે:
-
શાંતિની પ્રાથમિકતા: UAE માટે પ્રાદેશિક સ્થિરતા અને આર્થિક વિકાસ સૌથી મહત્વના છે.
-
તટસ્થ ભૂમિકા: એક તરફ ઈરાન પાડોશી દેશ છે, તો બીજી તરફ ‘અબ્રાહમ એકોર્ડ્સ’ (Abraham Accords) પછી ઈઝરાયલ સાથે પણ UAE ના સંબંધો મજબૂત થયા છે.
-
સંવાદનું માધ્યમ: UAE આ બંને દેશો વચ્ચે સેતુ બનીને તણાવ ઘટાડવા માટે તૈયાર છે.
પીએમ મોદીની વૈશ્વિક સ્વીકૃતિ પર ભાર
મિર્ઝાએ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વના વખાણ કરતા કહ્યું કે, ગલ્ફ દેશોના નેતાઓ અને સામાન્ય જનતામાં ભારત પ્રત્યે અતૂટ વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું કે:
“પીએમ મોદીની વિશ્વસનીયતા એટલી વધારે છે કે, જો તેઓ ઈરાન અને ઈઝરાયલના નેતાઓ સાથે સીધી વાતચીત કરે, તો સ્થિતિમાં મોટો સુધારો આવી શકે છે. તેમનો માત્ર એક ફોન કોલ પણ આ વિવાદના ઉકેલની દિશામાં પાયાનું કામ કરી શકે છે.”
Post Views: 0











