સરકાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરશે..સરકારનું કહેવું છે કે રાહુલ ગાંધીએ ભ્રામક આરોપો લગાવ્યા છે. અને તેથી, તેમની સામે વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરવામાં આવશે.આ માહિતી કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ દ્વારા આપવામાં આવી હતી.તેમણે કહ્યું, “ગૃહમાં, મેં રાહુલ ગાંધીને તેમના દાવાઓ માટે પુરાવા આપવા વિનંતી કરી હતી.
તેમણે કોઈપણ તથ્યના આધાર વિના સરકાર અને વડાપ્રધાન સામે પાયાવિહોણા અને ભ્રામક આરોપો લગાવ્યા હતા.રાહુલ ગાંધીએ આ આરોપો લગાવ્યા હતા. જેમાં આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાને ભારતના રાષ્ટ્રીય હિતોને વેચી દીધા છે.” રિજિજુએ એમ પણ કહ્યું હતું કે તેમણે હરદીપસિંહ પુરીનું નામ લીધું હતું અને તેમની સામે ગંભીર અને પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા.આ વિશેષાધિકાર ભંગનો ગંભીર ગુનો છે. તેથી, હું સ્પીકર સમક્ષ જરૂરી નોટિસ દાખલ કરવાનો ઇરાદો રાખું છું.”
કિરણ રિજિજુએ એમ પણ કહ્યું, “બજેટ પર ભાષણ આપતી વખતે, રાહુલ ગાંધી કોઈપણ તર્ક વિના, કોઈપણ પુરાવા વિના અને કોઈપણ સૂચના વિના આરોપો લગાવી રહ્યા છે.” તેમનું આખું ભાષણ, જેમાં તેમણે કહ્યું તે બધી ખોટી વાતોનો સમાવેશ થાય છે. તેને દૂર કરવામાં આવશે. અને તેમણે ઉપયોગમાં લીધેલી કોઈપણ બિનસંસદીય ભાષા પણ દૂર કરવી જોઈએ, ખાસ કરીને તેમણે કરેલા બધા જૂઠાણા, ખોટા નિવેદનો અને આરોપો. મેં તેમને યાદ અપાવ્યું કે આ દેશને કોઈ વેચી કે ખરીદી શકતું નથી.પછી રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈએ ભારત વેચી દીધું છે. અને કોઈએ ભારત ખરીદ્યું છે.કોઈ ભારત ખરીદવા કે વેચવાનું વિચારી પણ શકતું નથી.
Post Views: 99











