ભારતીય કપલને અમેરિકામાં એન્ટ્રી જ ન મળી, જાણ વિનાના નિયમોએ વધારી ભારતીયોની મુશ્કેલી

અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોમાં અણધાર્યા ફેરફારોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પ્રવાસીઓને વધારાની સાવચેતી રાખવા વિનંતી કરી છે. સરકારે કહ્યું છે કે પ્રસ્થાન પહેલાં, મુસાફરોએ તેમના તમામ દસ્તાવેજો જેમ કે રિટર્ન ટિકિટ અને મુસાફરી યોજનાના પુરાવા લેવાની ખાતરી કરવી જોઈએ

ભારત સરકારે પ્રવાસીઓને આ સલાહ આપી

અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોમાં અણધાર્યા ફેરફારોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પ્રવાસીઓને વધારાની સાવચેતી રાખવા વિનંતી કરી છે. સરકારે કહ્યું છે કે પ્રસ્થાન પહેલાં, મુસાફરોએ તેમના તમામ દસ્તાવેજો જેમ કે રિટર્ન ટિકિટ અને મુસાફરી યોજનાના પુરાવા લેવાની ખાતરી કરવી જોઈએ. પ્રવાસીઓને નવા ઈમિગ્રેશન નિયમો વિશે જાણવા માટે સત્તાવાર સરકારી વેબસાઈટ અને ટ્રાવેલ એજન્ટની સલાહ લેવાની પણ સલાહ આપવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ અન્ય દેશોમાંથી અમેરિકામાં પ્રવેશતા લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમણે અમેરિકામાં વસાહતીઓની સંખ્યા મર્યાદિત કરવા માટે ઘણા કડક આદેશો લાદ્યા છે અને જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારને સમાપ્ત કરવાનો આદેશ પણ જારી કર્યો છે. જેના કારણે અમેરિકામાં રહેતા ભારતીયો અને અમેરિકા જવા ઇચ્છતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ન્યુ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર તાજેતરમાં બનેલી ઘટનાએ આ ચિંતાઓને વધુ વધારી દીધી છે.

B-1/B-2 વિઝિટર વિઝા પર તેમના બાળકોની મુલાકાત લેનારા ભારતીય દંપતીને રિટર્ન ટિકિટ ન દર્શાવવા બદલ યુએસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એરપોર્ટ પરથી જ તેમને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. આ પાછળ તર્ક આપતા અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાના 2025ના ઈમિગ્રેશન નિયમો હેઠળ વિઝિટર વિઝા પર અમેરિકા આવતા લોકો પાસે રિટર્ન ટિકિટ હોવી જરૂરી છે.

જાણ કર્યા વિના નિયમોમાં ફેરફાર કરીને મૂંઝવણ ઊભી કરી

રિટર્ન ટિકિટ ફરજિયાત કરવાના નિયમથી મુસાફરોમાં ચિંતાનો માહોલ છે. ભારતીય દંપતીને એ વાતની જાણ ન હતી કે જો તેમની પાસે રિટર્ન ટિકિટ ન હોય તો તેમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં અને આ અંગે અગાઉથી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જેના કારણે મુસાફરો મુંઝવણમાં મુકાયા છે.

આ નિયમ અચાનક લાગુ થવાને કારણે ઘણા પ્રવાસીઓ એવું પણ વિચારી રહ્યા છે કે આ પછી વધુ કડક ઈમિગ્રેશન નિયમો બનાવવામાં આવી શકે છે. અમેરિકન ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા માહિતી ન અપાતા લોકો વધુ ચિંતિત થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE