Saif Ali Khan Attack : રાત્રે 2 વાગ્યા આસપાસ એક ઈસમ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને પહેલા મેડ અને પછી અભિનેતા પર કર્યા ચાકુથી વાર, સૈફ અલી ખાનને માથામાં, ગળામાં અને પીઠ પર ઇજાઓ પહોંચી હોઇ તેની સર્જરી પણ કરવામાં આવી
Saif Ali Khan Attack : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ગઇકાલે મધરાત્રે બૉલીવુડના નવાબ સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો. મધરાતે કોઈ અજાણ્યો ઈસમ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને તેણે ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જે બાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સૈફ અલી ખાનને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ મળતી માહિતી મુજબ સૈફ અલી ખાનને માથામાં, ગળામાં અને પીઠ પર ઇજાઓ પહોંચી હોઇ તેની સર્જરી પણ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે સૈફ અલી ખાને પોતાના પર થયેલ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યુ કે, હુમલો થયો છે, તમે શાંતિ જાળવી રાખો. આ સાથે જણાવ્યું કે,તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે તે સંપૂર્ણપણે ખતરાની બહાર છે
પટૌડી પરિવારના વર્તમાન નવાબ સૈફ અલી ખાન હાલ તેમના પર થયેલ જીવલેણ હુમલાને કારણે ચર્ચામાં છે. વિગતો મુજબ ગઇકાલે રાત્રે 2 વાગ્યા આસપાસ એક ઈસમ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યાં તેણે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. સમાચાર અહેવાલો મુજબ અભિનેતા સૈફ અલી ખાનને છરીના 6 ઘા માર્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ તરફ ઇજાગ્રસ્ત સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેમની સર્જરી ચાલી રહી છે.
શું કહ્યું અભિનેતાએ ?
બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાને હુમલાની પુષ્ટિ કરી છે. સૈફ અલી ખાને હોસ્પિટલ તરફથી પ્રથમ પ્રતિક્રિયા આપી છે. અભિનેતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, હુમલો થયો છે. શાંતિ જાળવી રાખો. તેણે જણાવ્યું કે, તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે તે સંપૂર્ણપણે ખતરાની બહાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સૈફના હાથની સાથે તેના શરીર પર પણ કેટલીક જગ્યાએ ઈજા થઈ છે.
શું કહ્યુ સૈફની સારવાર કરી રહેલા હોસ્પિટલે ?
લીલાવતી હોસ્પિટલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, સૈફ અલી ખાન પર મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરમાં એક અજાણ્યા વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. અભિનેતા સૈફને સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સૈફને છરીના 6 ઘા માર્યા હતા, જેના કારણે સૈફના શરીર પર બે ઊંડા ઘા પડયા હતા. આમાંથી એક ઘા કરોડરજ્જુની નજીક છે. અભિનેતાનું ઓપરેશન ન્યુરોસર્જન, કોસ્મેટિક સર્જન અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હવે જાણો શું કહી રહી કહી સૈફ અલી ખાનની ટીમ ?
આ હુમલાને લઈ સૈફ અલી ખાનની ટીમ દ્વારા પણ નિવેદન આપતા કહેવામાં આવ્યું છે કે, સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં તેમની સર્જરી લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે. ડોક્ટર લીના અને ડોક્ટર નીતિન ડાંગે સૈફની સારવાર કરી રહ્યા છે. આ હુમલામાં સૈફના ઘરનો એક કર્મચારી પણ ઘાયલ થયો છે. આવી પરિસ્થિતિમાં અમે મીડિયા અને ચાહકોને અમારો સાથ આપવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને અપડેટ કરતા રહીશું.
શું કહ્યુ પોલીસે ?
સમગ્ર મામલે ડીસીપી દીક્ષિત ગેડમનું નિવેદન પણ સામે આવ્યું છે. સૈફ અલી ખાન ખારમાં ફોર્ચ્યુન હાઇટ્સમાં રહે છે. વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રે એક માણસ સૈફના ઘરમાં ઘૂસી ગયો અને તેની નોકરાણી સાથે ઝઘડો કર્યો. જ્યારે અભિનેતાએ તે માણસને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સૈફ પર હુમલો કર્યો અને તે હુમલામાં તેમને ઘાયલ થયા.
હવે જાણીએ સૈફ અલી ખાન પર હુમલાનો સમગ્ર ઘટનાક્રમ
સૌપ્રથમ ગઇકાલે એયતરે 2 વાગ્યા આસપાસ એક અજાણ્યો માણસ ઘરમાં ઘૂસ્યો અને પહેલા મેડ સાથે ઝઘડ્યો હતો. આ તરફ સૈફ અલી ખાન જાગી જતાં તેમણે દરમિયાનગીરી કરી અને પછી ઝપાઝપી થઈ હતી. DCP(ઝોન X) દીક્ષિત ગેડમના જણાવ્યા અનુસાર સૈફના 11મા માળના ફ્લેટમાં એક ચોર ઘૂસ્યો હતો. જે બાદમાં બોલિવૂડ સ્ટારની ચોર સાથે ઝપાઝપી થઈ, જેમાં તે ઘાયલ થયા હતા. વિગતો મુજબ ચોરે સૈફ અલી પર છરીથી હુમલો કર્યો હતો જેમાં 6 જગ્યાએ ઇજા પહોંચી હતી. મહત્વનું છે કે, સૈફ અલી ખાન પર અનેક વખત હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે તેમના ઘરમાં કામ કરતા એક કર્મચારીને પણ ઇજા પહોંચી છે. નોંધનિય છે કે, સૈફ અલી ખાનના 3 કર્મચારીઓને પૂછપરછ માટે પોલીસે અટકાયતમાં લીધા છે.
સૌથી મોટો સવાલ કરીના કપૂર ક્યાં હતી?
હાલમાં હુમલા સમયે પરિવારના બાકીના સભ્યો ક્યાં હતા તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ કરિશ્મા કપૂરે 9 કલાક પહેલા ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે તેની બહેનો કરીના કપૂર, રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી હતી. ત્રણેયે સાથે રાત્રિભોજનનો આનંદ માણ્યો. આ પાર્ટીમાં કરીના હાજર હતી. સૈફ પર હુમલો થયો ત્યારે કરીના તેની ગર્લ ગેંગ સાથે હતી કે ઘરે પહોંચી હતી તે અંગે કોઈ પુષ્ટિ નથી.
2023માં શાહરૂખના ઘરમાં ઘૂસ્યા હતા બે અજનબી
નોંધનિય છે કે, 2 માર્ચ, 2023એ બે યુવાનો દિવાલ કૂદીને શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ ના ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા. જોકે સુરક્ષા ગાર્ડ્સે તેમને પકડી લીધા અને પોલીસને સોંપી દીધા હતા. બંનેની ઉંમર 21થી 25 વર્ષની હોવાનું જણાવાયું હતું. બંને ગુજરાતના રહેવાસી હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું કે, તે શાહરૂખને મળવા માંગતા હતા. આ ઘટના સમયે શાહરૂખ ખાન ઘરે નહોતા.