ભારતની વિદેશ નીતિની કસોટી
શું ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ લાવવાની આરે પહોંચી ગયું છે, શું ભારત પોતાની વિદેશ નીતિથી દુનિયાને ચોંકાવી દેશે. હાલમાં એવું લાગે છે કે પીએમ મોદીના પ્રયાસોને કારણે જ કંઈક આવું બન્યું છે. હાલમાં, એનએસએ અજીત ડોભાલ મોસ્કોમાં છે અને જયશંકર યુક્રેન શાંતિ યોજના હેઠળ જર્મનીમાં છે.
જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત અને છ અઠવાડિયા પછી તેમની યુક્રેનની મુલાકાતે રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ પુન:સ્થાપિત થવાની આશા જગાવી છે. હવે સમગ્ર વિશ્વની નજર આમાં ભારતની ભૂમિકા પર છે. વિશ્વને આશા છે કે જો ભારત ઇચ્છે તો યુદ્ધમાં શાંતિ લાવી શકે છે.
ભારતે આ અંગે પોતાના પ્રયાસો શરૂૂ કરી દીધા છે. ભારતીય વિદેશ મંત્રી હાલમાં જર્મનીમાં છે, જ્યાં તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી છે. આ સિવાય તેઓ વાર્ષિક એમ્બેસેડર કોન્ફરન્સમાં તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સહિત અન્ય દેશોના વિદેશ મંત્રીઓને મળ્યા હતા. આ દરમિયાન ભારતે રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે સૌને પ્રેરણા આપી હતી. હવે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર આ મુદ્દાનો ઉકેલ શોધવા માટે મોસ્કોમાં છે. આ પહેલા ડોભાલ અમેરિકન એનએસએસને પણ મળ્યા હતા. આ પછી દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ભારત દ્વારા તૈયાર કરાયેલ યુદ્ધ શાંતિનો ડ્રાફ્ટ રજૂ કરશે. જો ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ જાળવી રાખવામાં સફળ થાય છે તો વિશ્વ ચેતનામાં તે તેની સૌથી મોટી ઉપલબ્ધિ હશે.