મણિપુરમાં ફરી હિંસા ભડકી..અંધાધૂંધ ફાયરીંગમાં 5 લોકોનાં મૃત્યુ

મણિપુરમાં આજે (7 સપ્ટેમ્બર) ફરી એકવાર હિંસા ભડકી છે. જીરીબામ જિલ્લામાં આજે સવારે ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા છે. ઈમ્ફાલમાં મણિપુર રાઈફલ્સ હેડક્વાર્ટર પર ટોળાએ હુમલો કર્યો હતો. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં 5 લોકો ઘાયલ થયા છે.

જીરીબામમાં કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે ગોળીબાર બાદ વડીલની હત્યા કરવામાં આવી હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા. સવારથી આ વિસ્તારમાં સતત ગોળીબાર થઈ રહ્યો હોવાના અહેવાલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

જીરીબામ જિલ્લામાં આજે સવારે થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. મામલાની માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે, એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેના પછીના ફાયરિંગમાં ચાર સશસ્ત્ર લોકો માર્યા ગયા હતા. સ્થાનિક પોલીસે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “એક વ્યક્તિને તેની ઊંઘમાં ગોળી મારવામાં આવ્યા પછી, બે હરીફ સમુદાયોના સશસ્ત્ર માણસો વચ્ચેના ગોળીબારમાં અન્ય ચાર લોકો માર્યા ગયા.” પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ 5 કિલોમીટર દૂર એકાંત સ્થળે એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા અને જ્યારે તે સૂતો હતો ત્યારે તેને ગોળી મારી દીધી હતી. આ હત્યા જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિમી દૂર ટેકરીઓમાં હરીફ સમુદાયોના સશસ્ત્ર માણસો વચ્ચે મોટાપાયે ગોળીબાર કરવામાં આવી હતી, જેમાં ત્રણ પહાડી આતંકવાદીઓ સહિત ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE