રિયલ હીરો, આર. માધવને પાન મસાલાની જાહેરાતની ઓફર ફગાવી

પાન મસાલા જાહેરાતોને સમર્થન આપવા વિશે સેલેબ્સ વચ્ચે ઘણીવાર ચર્ચા થતી રહી છે. અજય દેવગન, રિતિક રોશન, ટાઈગર શ્રોફ, શાહરૂૂખ ખાન હજુ પણ ફ્લેવર્ડ ઈલાયચીની જાહેરાતમાં જોવા મળે છે. અક્ષય કુમાર પણ જોવા મળ્યો હતો, પરંતુ હવે તેણે પાન મસાલાની જાહેરાતોથી દૂરી બનાવી લીધી છે.હવે સમાચાર આવી રહ્યા છે કે પાન મસાલા બ્રાન્ડ દ્વારા આર માધવનનો સંપર્ક કરવામાં આવ્યો છે.પરંતુ આર માધવને તેને સમર્થન આપવાની ના પાડી દીધી છે.

તેણે આ જાહેરાતને ફગાવી દીધી છે. આર માધવનને આ માટે મોટી રકમની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હતી. તે પોતાની જાતને કોઈપણ પ્રકારના પાન મસાલા સાથે સંકળાયેલા નથી જોતા. આર માધવન તેના દર્શકો પ્રત્યેની જવાબદારી સમજે છે. આવી સ્થિતિમાં, તે કોઈ પણ વસ્તુ સાથે જોડાવા માંગતો નથી જેનાથી તેના દર્શકોને નુકસાન થાય.પાન મસાલા કંપની પોતાની બ્રાન્ડને વધુ લોકો સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહી હતી. આ સ્થિતિમાં તે એક મોટો ચહેરો જોઈ રહી હતી.

કંપનીએ આર માધવનને એન્ડોર્સમેન્ટ માટે મોટી રકમની ઓફર પણ કરી હતી, પરંતુ અભિનેતાએ સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. જોકે, કંપની હવે ફરી એક એવા મોટા ચહેરાની શોધમાં છે જે તેમના માટે આ જાહેરાતો કરી શકે. તાજેતરમાં, જ્હોન અબ્રાહમે પાન મસાલાની જાહેરાત કરનારા સેલેબ્સની બરાબર ખબર લઇ નાખી હતી. તેણે કહ્યું, હું મારા તમામ કો-સ્ટાર્સ અને મિત્રોનું સન્માન કરું છું. હું તેની નજીક છું. પરંતુ પાન મસાલાની જાહેરાત કરવા માટે હું ક્યારેય તેમના વખાણ કરીશ નહીં. હું ક્યારેય કોઈના જીવન સાથે રમત રમવા માંગતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE