જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો તા. 31થી પ્રારંભ થયેલ હોય મહાનગરપાલિકા દ્વારા તા. 31-8થી તા. 7-9 સુધી કત્તલખાનાઓ બંધ રાખવાના આદેશ જારી કર્યા હતાં અને હવે તા. 8 તથા તા. 17ના રોજ દિગંબર જૈન સવંત્સરી અંતર્ગત વધુ બે દિવસ કત્તલખાનાઓ બંધ રાખવા માટે આજરોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આગામી જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે તા. 31-8થી તા. 7-9 (દિવસ-8) સુધી રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે.
તા. 8 તથા તા. 17 દિગંમ્બર જૈન સંવત્સરીના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાવવામાં આવે છે. સબંધ કર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ 329 અને 336 તથા વેચાણ લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સબંધ કર્તા તમામે ગંભીર નોંધ લેવી