અફઘાનિસ્તાનના 5.7ની તીવ્રતા વાળા ભૂકંપે દિલ્હીની ધરતી ધ્રૂજાવી

જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું. અફઘાનિસ્તાનમાં રાત્રે 11:26 કલાકે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, સરગોધા, ફૈસલાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ગઈ. અહીં ભૂકંપની તીવ્રતા 5.4 આંકવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

થોડા દિવસ પહેલા જ આ બંને જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બારામુલ્લામાં 20મી ઓગસ્ટે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી હતી. સાંજે 6.45 કલાકે 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે દિવસે પણ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નહોતા. બીજી તરફ અફઘાનિસ્તાનમાં દરરોજ ભૂકંપના સમાચાર આવતા રહે છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અનુસાર, કાશ્મીર ખીણ ભૂકંપ ઝોન 5 માં આવે છે. ભૂકંપના જોખમને લઈને ભારતને ચાર ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યું છે. આ ઝોનમાંથી, ઝોન 5માં સૌથી વધુ સિસ્મિક જોખમ છે અને ઝોન 2માં સૌથી ઓછું જોખમ છે. કાશ્મીર ખીણ અને ડોડા જિલ્લાના તમામ જિલ્લાઓ સિસ્મિક ઝોન 5 માં આવે છે અને બાકીના જિલ્લાઓ સિસ્મિક ઝોન 4 માં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં 2005માં મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 7.6 હતી, જેણે ભારે તબાહી સર્જી હતી. આ વિનાશ મોટાભાગે સરહદી ગામોમાં થયો હતો, ખાસ કરીને બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE