ઘરસભાએ પ્રમુખસ્વામી મહારાજે આપેલી સંજીવની છે
પૂ.મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી તમામ હરિભકતો માટે ગુણોની પોથી ‘ગુણપોથી’નું ઉદ્ઘાટન કરાયું
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સર્વે હરિભક્તોને તેમની કરુણાવર્ષાથી તા. 14 જૂનથી ભીંજવી રહ્યા છે, આ પ્રેમવર્ષા તા. 10 જુલાઇ સુધી પ્રાપ્ત થશે. તેઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પ્રતિદિન પ્રેરણાત્મક અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આ કાર્યક્રમોની શૃંખલામાં સૌને પોતાના હૃદયમાઝાંખતા શીખવતો દિન એટલે કે, ‘સુહ્યદભાવ દિન’. જેઅંતર્ગત યુવાનો દ્વારા પારિવારિક સમસ્યાઓ અને તેનું સમાધાન આપતી એક અનોખી પ્રસ્તુતિરજૂ થઈ હતી.ન માત્ર આજના યુગમાં, પરંતુ મનુષ્ય જાતિનાઉદ્દભવકાળથી ચાલી આવતી પારિવારિક સમસ્યાના સમાધાન આપતા કાર્યક્રમો આજના સુહદભાવ દિનમાં યુવકો દ્વારા રજૂ થયા હતા. જેમાં રમૂજની સાથે સાથે હદયદ્રાવક સમસ્યાઓના સમાધાન આપતો અને પરિવારનું પ્રતિબિંબ દર્શાવતો રસપ્રદ સંવાદ પ્રસ્તુત થયો. પિતા-પુત્રના, સાસુ-વહુના, ભાઈ-ભાઈના, પતિ-પત્નીના અનેક સળગતા પ્રશ્નો દર્શાવીને તેનું એકમાત્ર સમાધાન એવી ઘરસભા વિશે માર્ગદર્શન અપાયું હતું. વિશ્વમાં સર્વપ્રથમ પારિવારિક સમસ્યાઓનું સરળ અને સચોટ સમાધાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ઘરસભા રૂપે આપ્યું હતું. ઘરસભાએ છૂટાછેડા સુધી પહોંચેલા સબંધોને ફરી સુહ્યદભાવથી જોડ્યા છે. જેઓ એકબીજાના ચહેરા જોવા પણ તૈયાર નહોતા તેઓ ઘરસભાના લીધે જીવનભર સાથે રહેવાના વચન આપે છે.સ્વભાવને લીધે સળગતા સબંધોને શાતા આપવાનું કામ ઘરસભાએ કર્યું છે.
ખૂટતા ઘર એ સમસ્યા નથી પણ તૂટતાં ઘર એ સમસ્યા છે. પરંતુ ઘરસભા એ પારિવારિક શાંતિનો રાજમાર્ગ છે. આજ રોજ સભામાં ઉપસ્થિત હજારો સંતો-ભક્તોએ સભામાં બેઠા થકા જ એકબીજાના હાથ પકડીને સંપનીસાકળ રચી પારિવારિક એકતાનો સંદેશો ઝીલ્યો હતો. સંપીલા પરિવારની ભાવના આજે ઉપસ્થિત તમામ ભક્તોએ દૃઢ કરી હતી.
આજે પ.પૂ.મહંતસ્વામીમહારાજની પ્રેરણાથીસુહ્યદભાવ દિને તમામહરિભક્તો માટે ગુણોની પોથી ‘ગુણપોથી’નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ગુણપોથી એ એક એવી ગુણોની પોથી બની રહેશે જેભક્તોના જીવનમાં સાકર કરતા પણ વધુ મીઠાશ આપશે. પરિવારજનોએ એકબીજાના ગુણો આ ગુણપોથીમાં નોંધવા જે એવું કવચ બનાવી આપશે જેનાથી અવગુણોરૂપી શત્રુ અંદર પ્રવેશ જ નહિ કરે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સુહ્યદભાવ દિને આશીર્વચન આપતા કહ્યું, ‘ઘરસભા એ પ્રમુખસ્વામી મહારાજે આપેલ સંજીવની છે. પરિવારમાં શત શિલવિં પર નહિ પરંતુ શત શિલવિં પર વિચાર કરીશું તો ઘર ચોક્કસ મંદિર બનશે. સભા બાદ ઉપસ્થિત તમામ હરિભક્તો દરેક માંથી ગુણગ્રહણ અને ભક્તોનાગુણ ગુણપોથીમાં લખવાના સંકલ્પ અને પરિવારમાં ઘરસભા કરવા માટે કટિબદ્ધ થયા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD