તંત્ર ઉડાઉ જવાબ આપે છે : કમિશ્નરને કરાઈ રાવ
મહાપાલિકાની ટીપી શાખા હાલ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની સળગતી તપાસનો સામનો કરે છે ત્યારે ટીપી શાખા રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદા હેઠળ પણ સાચી માહિતી આપતી નથી તેવી ગંભીર ફરિયાદ ફરી ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલભાઇ મકવાણાએ કમિશ્નરને કરી છે. તંત્રને વધુ એક ગંભીર પત્રમાં ભાજપ આગેવાને જણાવ્યું છે કે ટીપી શાખા દ્વારા જાહેર માહિતી અધિકાર હેઠળ અરજદારોને માહિતી આપવામાં ગલ્લાતલ્લા કરવામાં આવે છે. પ્રજાના અધિકારોનું ઉલ્લંઘન થાય છે. સમય મર્યાદામાં સાચી માહિતી આપવામાં આવતી નથી. તેમને સંતોષકારક જવાબ ન મળતા અપીલનું હિયરીંગ થયું હતું જેમાં અરજદાર અને ટીપીઓ હાજર રહ્યા હતા. ડે.કમિશનરે બંને પક્ષકારોને સાંભળીને અરજદારની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. આમ છતાં 10 દિવસમાં માહિતી અપાઇ નથી. આ રીતે અરજદારને નિયમ મુજબ યોગ્ય માહિતી આપવા જાહેર માહિતી અધિકારીને સૂચના આપવા તેમણે નવા કમિશ્નરને રજુઆત કરી છે.