ક્રિકેટ રસિયાઓ માટે આવતીકાલનો રવિવાર ઐતિહાસિક બની રહેવાનો છે. 8મી માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની મહાફાઈનલ જંગ જામશે.1 લાખથી વધુ પ્રેક્ષકો અને વીવીઆઈપી મહેમાનોની હાજરીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે.
કયા રસ્તાઓ રહેશે બંધ?
સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર ‘નો એન્ટ્રી’ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
-
સમય: રવિવારે સવારે 10:00 વાગ્યાથી મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી વાહનોની અવરજવર બંધ રહેશે.
-
બંધ માર્ગ: જનપથ ટી-જંક્શનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ થઈ કૃપા રેસિડન્સી અને ત્યાંથી મોટેરા ગામ સુધીનો આખો માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે.
વૈકલ્પિક રસ્તાઓ (ડાયવર્ઝન)
લોકોને હાલાકી ન પડે તે માટે પોલીસે નીચે મુજબના વૈકલ્પિક રૂટ સૂચવ્યા છે:
-
તપોવન સર્કલ તરફથી: વાહનચાલકો તપોવન સર્કલ અને વિસત જંક્શનથી જનપથ થઈને પાવર હાઉસ તરફ જઈ શકશે.
-
પ્રબોધ રાવળ સર્કલ તરફથી: અહીંથી આવતા લોકો કૃપા રેસિડન્સી થઈને ભાટ-કોટેશ્વર રોડ અથવા એપોલો સર્કલ તરફ જઈ શકશે.
ટ્રાફિક અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા
-
800થી વધુ જવાનો: ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે 800થી વધુ ટ્રાફિક પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત રહેશે.
-
પાર્કિંગ પ્લોટ્સ: પ્રેક્ષકો માટે સ્ટેડિયમની આસપાસના અલગ-અલગ પ્લોટ્સમાં પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
-
પોસ્ટ-મેચ પ્લાન: મેચ પૂરી થયા બાદ પ્રેક્ષકોના ઘસરાને પહોંચી વળવા અને ટ્રાફિક હળવો કરવા માટે પોલીસે ખાસ ‘એક્શન પ્લાન’ તૈયાર કર્યો છે.
ક્રિકેટ ફેન્સ માટે ટીપ: જો તમે મેચ જોવા જઈ રહ્યા હોવ, તો ટ્રાફિક અને પાર્કિંગની ભીડથી બચવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલા નીકળવું હિતાવહ છે.
Post Views: 0











