ભાજપે મહારાષ્ટ્ર માટે રાજ્યસભાના 4 ઉમેદવારો જાહેર કર્યા: રામદાસ આઠવલે અને વિનોદ તાવડે મેદાનમાં

રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. બિહાર બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર બેઠકો માટે પોતાના 4 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. ભાજપે આ વખતે અનુભવી નેતાઓ અને સંગઠનના પાયાના કાર્યકરો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

ઉમેદવારોની યાદી: ભાજપે જે 4 ચહેરાઓને રાજ્યસભા મોકલવાનું નક્કી કર્યું છે તેમાં નીચેના નામો સામેલ છે:

  1. રામદાસ આઠવલે: કેન્દ્રીય મંત્રી અને RPI (A) ના નેતા.

  2. વિનોદ તાવડે: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ મંત્રી.

  3. માયા ચિંતામણ ઈવનાતે: સામાજિક કાર્યકર અને પૂર્વ નગરસેવિકા.

  4. રામરાવ વાડકુટે: સંગઠનના મજબૂત નેતા.

  • રામદાસ આઠવલે: એનડીએના જૂના અને વિશ્વાસુ સાથી છે. તેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી તરીકે કાર્યરત છે અને હાલમાં પણ રાજ્યસભાના સભ્ય છે.

  • વિનોદ તાવડે: મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.

  • માયા ઈવનાતે: તેઓ શિક્ષિકા અને સામાજિક કાર્યકર છે. આદિવાસી અને અનુસૂચિત જનજાતિના ઉત્થાન માટે તેમણે મોટું કામ કર્યું છે. તેઓ રાષ્ટ્રીય એસટી કમિશનના સભ્ય પણ રહી ચૂક્યા છે.

  • રામરાવ વાડકુટે: તેમની પ્રાદેશિક પકડ અને સંગઠનાત્મક અનુભવને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે તેમને રાજ્યસભાની ટિકિટ આપી છે.

ચૂંટણી કાર્યક્રમ: રાજ્યસભાની આ ચૂંટણી માટે 5 માર્ચ નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે..જ્યારે મતોની ગણતરી 16 માર્ચ ના રોજ કરવામાં આવશે.મહારાષ્ટ્રમાં આ બેઠકો પર જીત મેળવવા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ ઘડી કાઢી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE