વર્ષ 2026-27ના બજેટમાં ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નહીં,12.75 લાખ સુધીની લિમિટ યથાવત્

નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ આ બજેટમાં ટેક્સમાં રાહત કરતા માળખાગત સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્ર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.મધ્યમ વર્ગને આ બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફારની આશા હતી..પરંતુ સરકારે જૂની મર્યાદા જ જાળવી રાખી છે:સરકારે કસ્ટમ ડ્યુટી અને અન્ય કરવેરામાં ફેરફાર કરીને સામાન્ય જનતાને ઘણી ચીજવસ્તુઓમાં રાહત આપી છે.કઈ વસ્તુઓના ભાવ ઘટશે:

 આરોગ્ય અને દવાઓ (સૌથી મોટી રાહત)

કેન્સરની દવાઓ: કેન્સરની સારવાર માટેની 17 મુખ્ય દવાઓ પરની ડ્યુટી નાબૂદ થતા ભાવમાં મોટો ઘટાડો થશે.

ડાયાબિટીસ (શુગર): ડાયાબિટીસની દવાઓ હવે સસ્તી મળશે.

ગંભીર રોગો: અન્ય 7 દુર્લભ અને ગંભીર રોગો માટેની જીવનરક્ષક દવાઓ પરની આયાત ડ્યુટી ઘટાડવામાં આવી છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ

મોબાઇલ એસેસરીઝ: મોબાઇલની બેટરી અને લિથિયમ આયન સેલ (Lithium-ion cell) સસ્તા થશે.

હોમ એપ્લાયન્સીસ: રસોડામાં વપરાતા માઇક્રોવેવ ઓવન ના ભાવ ઘટશે.પહેરવેશ અને ફેશન

પગરખાં: સિન્થેટિક ફૂટવેર અને જૂતાના ભાવમાં રાહત મળશે.

લેધર આઇટમ્સ: ચામડાની તમામ વસ્તુઓ સસ્તી થશે.

કાપડ: ટેક્સટાઇલ ક્ષેત્રે રાહત મળતા કપડાંના ભાવ ઘટવાની શક્યતા છે.ગ્રીન એનર્જી અને વાહન વ્યવહાર

સોલર એનર્જી: સોલર પેનલમાં વપરાતા સોલર ગ્લાસ સસ્તા થશે.

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV): ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતા તે સસ્તા થઈ શકે છે.

બળતણ: મિશ્ર ગેસ (CNG) અને બાયોગેસના દરમાં રાહત મળશે.

પ્રવાસ અને અન્ય

હવાઈ મુસાફરી: વિમાનના સ્પેર પાર્ટ્સ અને વિમાનના ઇંધણ (ATF) પરની ડ્યુટીમાં ફેરફાર થતા હવાઈ મુસાફરીના ભાડામાં ઘટાડો થઈ શકે છે.

વિદેશ પ્રવાસ: TCS ના નવા નિયમોને કારણે વિદેશ પ્રવાસ સસ્તો બની શકે છે.

ઈન્કમ ટેક્સ (આવકવેરો): કોઈ ફેરફાર નહીં

ટેક્સ લિમિટ: ₹12.75 લાખ સુધીની આવક પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નવો ઇન્કમ ટેક્સ એક્ટ: 1 એપ્રિલ, 2026થી નવો ટેક્સ એક્ટ અમલમાં આવશે.

સરળીકરણ: આઈટી રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયા હવે બે કેટેગરીમાં વહેંચીને વધુ સરળ બનાવવામાં આવશે.

TCS માં રાહત: વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો છે.

ટ્રેડર્સ માટે ફટકો: ફ્યુચર્સ ટ્રેડર્સ માટે ટ્રાન્ઝેક્શન રેટ 0.02% થી વધારીને 0.05% કરવામાં આવ્યો છે.

  1. આરોગ્ય ક્ષેત્ર: દર્દીઓ માટે સારા સમાચાર

સરકારે ગંભીર રોગોની સારવાર સસ્તી કરવા માટે મહત્વના નિર્ણયો લીધા છે:

  • સસ્તી દવાઓ: કેન્સરની 17 મુખ્ય દવાઓ પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે. સાત અન્ય દુર્લભ રોગોની દવાઓ પણ સસ્તી થશે.

  • નવી સંસ્થાઓ: દેશમાં 3 નવી આયુર્વેદ AIIMS બનાવવાની જાહેરાત.

  • જામનગર WHO કેન્દ્ર: જામનગરમાં આવેલા WHO ગ્લોબલ સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે.

  • બાયોફાર્મા શક્તિ યોજના: ભારતને ફાર્મા હબ બનાવવા ₹10,000 કરોડના રોકાણ સાથે નવી યોજનાની જાહેરાત.

  • રોજગારી: આગામી 5 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે 2.5 લાખ લોકોને તાલીમ આપી નોકરીઓ પૂરી પાડવામાં આવશે.

  1. રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર

કનેક્ટિવિટી વધારવા માટે સરકારે મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે:

  • હાઈસ્પીડ રેલ કોરિડોર: દેશમાં 7 નવા રૂટ પર હાઈસ્પીડ રેલ દોડશે:

    1. મુંબઈ – પુણે

    2. પુણે – હૈદરાબાદ

    3. હૈદરાબાદ – બેંગલુરુ

    4. હૈદરાબાદ – ચેન્નાઈ

    5. ચેન્નાઈ – બેંગલુરુ

    6. દિલ્હી – વારાણસી

    7. વારાણસી – સિલિગુરિ

  • કેપેક્સ (Capex): માળખાગત વિકાસ માટે બજેટ વધારીને ₹12.2 લાખ કરોડ કરવામાં આવ્યું છે.

  1. ટેકનોલોજી અને ઉદ્યોગ

  • સેમિકન્ડક્ટર મિશન 2.0: ભારતને ચિપ મેન્યુફેક્ચરિંગમાં આગળ વધારવા માટે આ મિશનનો બીજો તબક્કો શરૂ થશે.

  • કાર્બન કેપ્ચર: પ્રદૂષણ ઘટાડવા 5 ઔદ્યોગિક વિસ્તારોમાં ₹20,000 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

  • શિપ રિપેરિંગ: બનારસ અને પટનામાં જહાજ રિપેરિંગની આધુનિક સુવિધાઓ શરૂ કરાશે.

Leave a Comment

READ MORE

READ MORE