ભારતીય બંધારણ અને સંસદના નિયમો મુજબ, લોકસભાના સ્પીકરને હટાવવા માટે માત્ર બહુમતી હોવી પૂરતી નથી..પરંતુ ચોક્કસ બંધારણીય પ્રક્રિયાનું પાલન કરવું પણ અનિવાર્ય છે.
1. બંધારણીય જોગવાઈ (કલમ 94)
ભારતીય બંધારણની કલમ 94(c) મુજબ, લોકસભાના સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરને ગૃહના સભ્યો દ્વારા પસાર કરવામાં આવેલા ‘ઠરાવ’ દ્વારા હટાવી શકાય છે.
2. હટાવવાની પ્રક્રિયાના મુખ્ય તબક્કા
સ્પીકરને હટાવવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
-
14 દિવસની નોટિસ: સ્પીકરને હટાવવાનો ઠરાવ રજૂ કરતા પહેલા ઓછામાં ઓછા 14 દિવસ અગાઉ લેખિત નોટિસ આપવી પડે છે.
-
50 સભ્યોનું સમર્થન: જ્યારે આ પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરવામાં આવે, ત્યારે તેને ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે.જો 50 સભ્યો પ્રસ્તાવની તરફેણમાં ઉભા ન થાય, તો પ્રસ્તાવ રદ થઈ જાય છે.
-
નિર્ણાયક બહુમતી (Effective Majority): સ્પીકરને હટાવવા માટે ‘હાજર અને મતદાન કરનારા’ સભ્યોની જ નહીં, પરંતુ ગૃહની તત્કાલીન કુલ સભ્ય સંખ્યાની બહુમતી (Effective Majority) હોવી જોઈએ.
દાખલા તરીકે: જો ગૃહની કુલ સંખ્યા 543 હોય, તો 272 કે તેથી વધુ સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે.
3. જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે સ્પીકરની સ્થિતિ
-
પીઠ પર બેસી શકતા નથી: જ્યારે સ્પીકરને હટાવવાના ઠરાવ પર ચર્ચા ચાલતી હોય, ત્યારે તેઓ ગૃહનું અધ્યક્ષપદ (Presiding Officer) સંભાળી શકતા નથી…તેમની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર અથવા પેનલના કોઈ સભ્ય કાર્યભાર સંભાળે છે.
-
બોલવાનો અને મતદાનનો અધિકાર: સ્પીકર ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે.. પોતાનો બચાવ કરી શકે છે અને સામાન્ય સભ્યની જેમ મતદાન પણ કરી શકે છે. જોકે, મતો સરખા પડે ત્યારે તેઓ ‘નિર્ણાયક મત’ (Casting Vote) આપી શકતા નથી.
4. શું આ પહેલા કોઈ સ્પીકરને હટાવવામાં આવ્યા છે?
ભારતના ઈતિહાસમાં અત્યાર સુધી ક્યારેય કોઈ લોકસભા સ્પીકરને આ રીતે હટાવવામાં આવ્યા નથી. ભૂતકાળમાં જી.વી.માવલંકર (1954), હુકમ સિંહ (1966) અને બલરામ જાખડ (1987) સામે આવા પ્રસ્તાવ લાવવામાં આવ્યા હતા..પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા હતા.
વર્તમાન સ્થિતિ શું છે?
કોંગ્રેસ અને ઇન્ડિયા (INDIA) ગઠબંધનના 118સાંસદોએ ઓમ બિરલા વિરુદ્ધ આ નોટિસ આપી છે.તેઓનો આરોપ છે કે,, સ્પીકર પક્ષપાતી વર્તન કરી રહ્યા છે. જોકે, ભાજપ અને NDA પાસે બહુમતી હોવાથી આ પ્રસ્તાવ પસાર થવાની શક્યતા ગાણિતિક રીતે ઘણી ઓછી છે.
Post Views: 76











