ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરમાં વરસાદી સિસ્ટમ સક્રિય, નવરાત્રીમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે શું કહ્યું?

રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધીના હવામાન અંગેની આગાહી કરી છે, જે મુજબ ઓગસ્ટના અંતમાં હવામાન બદલાશે અને સપ્ટેમ્બરના પ્રારંભમાં વરસાદનો નવો તબક્કો શરૂ થઈ શકે છે.

વરસાદી સિસ્ટમ અને સપ્ટેમ્બરનું હવામાન

  • 26 થી 31 ઓગસ્ટ: રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

  • નવી સિસ્ટમ: ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના પ્રારંભે બંગાળની ખાડીમાં નવી મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે.

  • 6 થી 10 સપ્ટેમ્બર: રાજ્યમાં સારો વરસાદ રહેવાનો અંદાજ છે.

  • 12 સપ્ટેમ્બર આસપાસ: બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાતાં દરિયામાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે.

  • ચોમાસાની વિદાય: 20 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં નબળો વરસાદ અને નવરાત્રી અંગે આગાહી

  • સૌરાષ્ટ્રમાં વરસાદ ઘટવાનું કારણ: ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી આવતા સૂકા પવનોને લીધે બંગાળની ખાડીના ભેજવાળા પ્રવાહો પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી પૂરા પ્રમાણમાં પહોંચી શક્યા નથી.

  • ઓક્ટોબર અને નવરાત્રી: ચોમાસાની વિદાય બાદ પણ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડશે કે નહીં, તેનો આખરી આધાર ‘અલ-નીનો’ (El Niño) ની સ્થિતિ પર નિર્ભર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE