ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી અનિલ મેનન (Anil Menon) આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) માટેના પોતાના લાંબા અંતરિક્ષ મિશન પર ૧૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ રવાના થશે. અમેરિકન અંતરિક્ષ એજન્સી (NASA) એ જણાવ્યું છે કે, આ મિશન કઝાખસ્તાન સ્થિત બૈકોનુર કોસ્મોડ્રોમ (Baikonur Cosmodrome) પરથી લોન્ચ કરવામાં આવશે.
અનિલ મેનન તેમની ટીમ સાથે અંદાજે ૨૪૦ દિવસ સુધી અંતરિક્ષમાં રહેશે અને વસંત ૨૦૨૭ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વૈજ્ઞાનિક સંશોધન કાર્યોમાં ભાગ લેશે. આ મિશનને ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ ગ્રહ પર માનવ અભિયાનોની તૈયારીના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ISS મિશન હંમેશા બહુરાષ્ટ્રીય સહયોગ હેઠળ સંચાલિત કરવામાં આવે છે. આ અભિયાનમાં અનિલ મેનનની સાથે રશિયન અંતરિક્ષ યાત્રી પ્યોત્ર દુબ્રોવ (Pyotr Dubrov) અને અન્ના કિ કિના (Anna Kikina) પણ સામેલ થશે. ત્રણેય અંતરિક્ષ યાત્રીઓ સાથે મળીને સ્પેસ સ્ટેશન પર વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સને પૂર્ણ કરશે.
શૂન્ય ગુરુત્વાકર્ષણમાં માનવ શરીર પર થશે અભ્યાસ
નાસાના જણાવ્યા અનુસાર, મિશન દરમિયાન મુખ્ય સંશોધન ક્ષેત્રોમાં એ બાબતનો અભ્યાસ સામેલ હશે કે અંતરિક્ષના વાતાવરણ અને શૂન્ય ગુરુત્વાકર્ષણ (Zero Gravity) ની સ્થિતિમાં માનવ શરીર પોતાની જાતને કેવી રીતે અનુકૂળ બનાવે છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, આ સંશોધન ભવિષ્યમાં લાંબી અવધિના અંતરિક્ષ અભિયાનો માટે મહત્વપૂર્ણ માહિતી પુરી પાડશે.
આ ઉપરાંત અંતરિક્ષમાં રહેવા, કામ કરવા અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો પર પણ અનેક પ્રયોગો કરવામાં આવશે. જેનો લાભ આગામી ચંદ્ર અને મંગળ મિશનને મળી શકે છે.
ભારતીય મૂળ સાથે જોડાયેલો છે અનિલ મેનનનો પરિવાર
અનિલ મેનનનો જન્મ અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસ શહેરમાં થયો હતો. તેમના માતા-પિતા ભારતીય અને યુક્રેનિયન મૂળના સ્થળાંતરિત (ઇમિગ્રન્ટ્સ) છે. તબીબી (મેડિકલ) અને અંતરિક્ષ વિજ્ઞાન બંને ક્ષેત્રોમાં વિશાળ અનુભવ ધરાવતા મેનનની ગણતરી નાસાના અગ્રણી અંતરિક્ષ યાત્રીઓમાં થાય છે.
૨૪૦ દિવસ સુધી ચાલનારું આ મિશન માત્ર અંતરિક્ષ સંશોધન માટે જ મહત્વનું નથી. પરંતુ ભારતીય મૂળના વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ પ્રેમીઓ માટે પણ ભારે ગૌરવનો વિષય માનવામાં આવી રહ્યો છે.
Post Views: 0











