September 21, 2024 12:11 pm

વિશાખાપટ્ટનમના જાસૂસી કેસની તપાસમાં એનઆઇએના ગુજરાત સહિતના રાજ્યોમાં દરોડા

જાસૂસી કેસમાં પાકિસ્તાન કનેકશન ખુુલ્યા બાદ એનઆઇએને તપાસ સોંપાઇ

વિશાખાપટ્ટનમના એક જાસુસી કેસમાં પાકિસ્તાન કનેકશન ખુલ્યા બાદ આ મામલે એનઆઇએને તપાસ સોંપાયા બાદ એનઆઇએની ટીમે ગુજરાત, કર્ણાટક, કેરળ સહીતના સાત રાજયોમાં દેશવ્યાપી દરોડા પાડી કેટલાક શકમંદોની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.

પાકિસ્તાનની આગેવાની હેઠળના વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં વ્યાપક કાર્યવાહીમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) એ બુધવારે ગુજરાત, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને હરિયાણામાં 16 સ્થળો પર સર્ચ કર્યું હતું. તપાસ કરાયેલ જગ્યા શંકાસ્પદ સાથે જોડાયેલી હતી જેમણે ભારતમાં જાસૂસી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પાકિસ્તાન પાસેથી નાણાં મેળવ્યા હતા; 22 મોબાઈલ ફોન અને ઘણા સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

એનઆઇએએ જુલાઈ 2023માં આ કેસનો કબજો લીધો હતો જે મૂળ આંધ્ર પ્રદેશના કાઉન્ટર ઈન્ટેલિજન્સ સેલ (ઈઈંઈ) દ્વારા 2021માં નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સરહદ પારથી ઘડવામાં આવેલા ભારત વિરોધી કાવતરાના ભાગરૂૂપે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી લીક કરવામાં આવી હતી.
એનઆઇએએ ફરાર પાકિસ્તાની નાગરિક મીર બલાજ ખાન સહિત બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે ધરપકડ કરાયેલા આરોપી આકાશ સોલંકી સાથે ખાન કથિત રીતે જાસૂસી રેકેટમાં સામેલ હતા.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE