બારડોલીમાં આગામી ગણેશ ઉત્સવ અને વિસર્જન પ્રસંગ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે ઉજવાય તે હેતુથી પ્રજાપતિ સમાજની વાડી ખાતે પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓએ ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી હતી.
બેઠકની મુખ્ય બાબતો અને સૂચનાઓ
-
ટ્રાફિક અડચણ પર રોક: આ વર્ષે મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહારને અડચણરૂપ થાય તે રીતે ગણેશ પંડાલો ન બનાવવા માટે આયોજકોને ખાસ તાકીદ કરવામાં આવી છે.
-
મંડળોનો સહકાર: ગણેશ મંડળોના સંચાલકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને તંત્રને ઉત્સવ દરમિયાન સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ
આ બેઠકમાં બારડોલીના પ્રાંત અધિકારી (રોશની પટેલ), ડી.વાય.એસ.પી. (રાઠોડ), મામલતદાર (કલ્પના પટેલ), બારડોલી પી.આઈ. (વી.એ. સેંગલ) અને રૂરલ પી.આઈ. (જાડેજા) ઉપસ્થિત રહ્યા હતા.
Post Views: 0










