15 જૂનના રોજ અધિક જેઠ કૃષ્ણ પક્ષની અમાસ તિથિ અને સોમવારનો દિવસ છે. અમાસ તિથિ સોમવારે સવારે 8 વાગ્યાને 24 મિનિટ સુધી રહેશે.ત્યારબાદ એકમ (પ્રતિપદા) તિથિ શરૂ થઈ જશે. 15 જૂને સ્નાન-દાનની અમાસ છે. અમાસ સોમવારના દિવસે આવી રહી હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવશે. સોમવારે સાંજે 7 વાગ્યાને 9 મિનિટ સુધી મૃગશીર્ષ નક્ષત્ર રહેશે. આ ઉપરાંત, 15 જૂને બપોરે 12 વાગ્યાને 52 મિનિટે સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે. આચાર્ય ઇન્દુ પ્રકાશ પાસેથી જાણો સોમવારનું પંચાંગ, રાહુકાળ, શુભ મુહૂર્ત અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય.
15 જૂન 2026નું પંચાંગ
-
અધિક જેઠ કૃષ્ણ પક્ષની અમાસ તિથિ: 15 જૂન 2026ના રોજ સવારે 8:24 સુધી, ત્યારબાદ એકમ તિથિ બેસશે.
-
મૃગશીર્ષ નક્ષત્ર: 15 જૂન 2026ના રોજ સાંજે 7:09 સુધી.
-
સૂર્ય ગોચર: 15 જૂન 2026ના રોજ બપોરે 12:52 મિનિટે સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
-
વિશેષ નોંધ: સોમવતી અમાસ, જેઠ અમાસ.
સોમવતી અમાસ 2026: સ્નાન-દાન મુહૂર્ત
પંચાંગ અનુસાર, અમાસ તિથિની શરૂઆત 14 જૂને બપોરે 12 વાગ્યાને 19 મિનિટે થશે. અમાસ તિથિની પૂર્ણાહુતિ 15 જૂન 2026ના રોજ રાત્રે 8 વાગ્યાને 23 મિનિટે થશે. સ્નાન-દાન માટે બ્રહ્મ મુહૂર્ત સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જે 15 જૂને વહેલી સવારે 04:02 વાગ્યાથી 04:43 વાગ્યા સુધી રહેશે.
આ સિવાય અભિજીત મુહૂર્ત પણ સ્નાન-દાન માટે શ્રેષ્ઠ ગણાય છે. અભિજીત મુહૂર્ત બપોરે 12:12 વાગ્યાથી બપોરે 01:06 વાગ્યા સુધી રહેશે.
15 જૂન 2026ના શુભ ચોઘડિયા અને મુહૂર્ત
મુહૂર્ત |
સમય |
બ્રહ્મ મુહૂર્ત |
સવારે 04:35 થી સવારે 05:18 |
અભિજીત મુહૂર્ત |
બપોરે 12:12 થી બપોરે 01:06 |
વિજય મુહૂર્ત |
બપોરે 02:52 થી બપોરે 03:45 |
ગોધૂલિ મુહૂર્ત |
સાંજે 07:16 થી સાંજે 07:38 |
અમૃત કાળ |
સવારે 11:28 થી બપોરે 12:52 |
સર્વાર્થ સિદ્ધિ યોગ |
સવારે 06:01 થી સાંજે 07:08 |
અમૃત સિદ્ધિ યોગ |
સવારે 06:01 થી સાંજે 07:08 |
રાહુકાળનો સમય (વિવિધ શહેરો અનુસાર)
નોંધ: રાહુકાળ દરમિયાન કોઈ પણ શુભ કે નવું કાર્ય શરૂ કરવું વર્જિત માનવામાં આવે છે.
-
અમદાવાદ: સવારે 07:35 થી સવારે 09:17 સુધી
-
મુંબઈ: સવારે 07:41 થી સવારે 09:20 સુધી
-
દિલ્હી: સવારે 07:08 થી સવારે 08:52 સુધી
-
ચંદીગઢ: સવારે 07:06 થી સવારે 08:52 સુધી
-
લખનૌ: સવારે 06:56 થી સવારે 08:40 સુધી
-
ભોપાલ: સવારે 07:16 થી સવારે 08:57 સુધી
-
કોલકાતા: સવારે 06:33 થી સવારે 08:15 સુધી
-
ચેન્નઈ: સવારે 07:19 થી સવારે 08:56 સુધી
સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય
-
સૂર્યોદય: સવારે 05:23 વાગે
-
સૂર્યાસ્ત: સાંજે 07:19 વાગે
Post Views: 0











