સુપ્રીમ કોર્ટે કહ્યું કે 6ભિની કલમ ૧૨૫ હેઠળ મુસ્લિમ મહિલા પણ પોતાના પતિ પાસે ભરણોપોષણ માંગી શકે છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવતાં કહ્યું કે આ કાયદો તમાય ધર્મની મહિલાઓને લાગુ પડે છે. જજ બીલી નાગરત્ના અને જજ ઓગસ્ટીન જોજે પચીને
આ મામલાની સુનાવણી કરી હતી.
તેલંગાણા હાઈકોર્ટે મોહમ્મદ અબ્દુલ સમદને તેની
ડિવોર્સી પત્નીને દર મહિને ૧૦ હજારનું ભરણ પોષણ આપવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આ આદેશ સામે મોહમ્મદ અબ્દુલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીકર્તાએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે એક ડિવોર્સી મુસ્લિમ મહિલા ઉછિમની કલમ ૧૨૫ હેઠળ ભરણ પોષણ મેળવી શકે નહિ.
ન્યાયમૂર્તિ નાગરત્નાએ પોતાનો ફેંસલો સંભળાવતાં જણાવ્યું કે ધારા ૧૨૫ ન માત્ર વિદ્યાહિત
મહિલાઓ પરંતુ તમામ મહિલાબો માટે લાગુ થશે. ભરણ પોષણ દાન નથી. પરંતુ પરણિત મહિલાઓનો ખપિકાર છે. મહિલા કોઈ પણ ધર્મની હોય આ કાયદો બધા માટે લાગુ પડે છે. આ સાથે જ કોર્ટ છૂટાછેડા લીપેલ પત્નીના સમર્થનમાં ચુકાઠો આપતાં મુસ્લિમ યાચિકાડર્તા વ્યક્તિની ખરજી ફગાવી ડીપી હતી. કલમ ૧૨૫ માં પત્ની, સંતાન અને
માતાપિતાના ભરણપોષણ અંગે જોગવાઈઓ છે. આ કલમ હેઠળ પતિ, પિતા કે બાળકો પર આશ્રિત પત્ની હોય કે માતા-પિતા અથવા માળકો ભરણ પોષણનો હાળો કરી શકે છે. જ્યારે બાબિત પાસે આજીવિકાનું કોઈ સાધન ન હોય તેવા કિસ્સામાં આ જોળવાઈઓ લાગુ પડે છે. અત્યાર સુધી મુસ્લિમ મહિલાઓ ભરણ પોષણ માટે દાવો કરી શકતી ન હતી. ઈસ્લામિક પરંપરા પ્રમાણે જો કોઈ મહિલા તેના પતિને ડિવોર્સ આપે છે તો પતિ મહિલાને માળ ઉદત સુધી જ ભરણ પોષણ આપે છે. ઈવતની ત્રણ મહિનાના સમય દરમિયાન મહિલા બીજે લગ્ન નથી કરી શકતી.