રેલવે મંત્રાલયે સુરત અને ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી દીધી છે. ગુજરાતને મળનારી આ છઠ્ઠી વંદે ભારત ટ્રેન નવરાત્રિના તહેવાર પહેલાં શરૂ થવાની પૂરી શક્યતા છે, જેનાથી વેપારીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે.
ટ્રેનનું શેડ્યૂલ અને મુખ્ય સુવિધાઓ
-
સંચાલન: આ ટ્રેન ૮ કોચ સાથે અઠવાડિયામાં ૬ દિવસ દોડશે, જ્યારે દર મંગળવારે મેન્ટેનન્સ માટે બંધ રહેશે.
-
મેન્ટેનન્સ વ્યવસ્થા: ટ્રેનનું પ્રાઇમરી મેન્ટેનન્સ સુરત ખાતે થશે, જ્યારે પાણી ભરવાની સુવિધા વડોદરા અને અમદાવાદના અસારવા સ્ટેશન પર રહેશે.
-
સ્ટેશનો: આ ટ્રેન ગુજરાતના ૭ અને રાજસ્થાનના ૨ મળીને કુલ ૯ સ્ટેશનોને કનેક્ટ કરશે, જેનાથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રવાસીઓને ઉદયપુર સુધી સીધી સુવિધા મળશે.
જૂની ટ્રેન સેવામાં ફેરફાર
-
અમદાવાદ-ઉદયપુર વંદે ભારત કાયમી બંધ: અગાઉ દોડતી ટ્રેન નંબર 26963/26964 ઉદયપુર સિટી-અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
-
રૂટ લંબાવાયો: અમદાવાદ સુધી મર્યાદિત આ સેવાને હવે સુરત સુધી લંબાવીને નવી ‘સુરત-ઉદયપુર વંદે ભારત’ તરીકે ચલાવવામાં આવશે.
Post Views: 0










