નીટ પેપર લીક પર PM મોદી ફરી બોલ્યા: ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે કેસ, દોષિતોને નહીં મળે રાહત

નવી દિલ્હી: નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં ઉગ્ર બની રહેલા વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત યુવાનોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે દેશના યુવાનોનું ભવિષ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વડાપ્રધાને જાહેરાત કરી કે પેપર લીકના તમામ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે, જેથી દોષિતોને શક્ય તેટલી વહેલી તકે આકરી સજા મળી શકે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.

નીટ પેપર લીક મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના જંતર-મંતર સહિત દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સંસદમાં પણ આ મુદ્દે સતત હોબાળો મચી રહ્યો છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનનું ફરી એકવાર જાહેર નિવેદન રાજકીય અને શૈક્ષણિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE