September 20, 2024 11:08 am

જગતગુરુ શંકરાચાર્ય મહેન્દ્રાનંદગીરીનો જૂનાગઢમાં ભવ્ય પ્રવેશ

શ્રી પંચદશનામ જૂના અખાડા જૂનાગઢ મુજકુંદ ગુફાના મહંત 1008 શ્રી શ્રી 1008 મહા મંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ કે જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે. જેને થોડો સમય પહેલા જ અખાડાની વૈદિક પરંપરા મુજબ ગુરુ મહારાજ મહંત હરિગીરીજી મહારાજ, મહંત હરિગીરીજી મહારાજ,સાધુ સંતો, મહાત્મા અને તમામ અધિકારીઓની સંમતિ અને હાજરીથી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમની પાવન ભૂમિ પર જગદગુરુની પદવી એનાયત કરવામાં આવી હતી. ગઈકાલે સાધુ સંતો મહંતો ભક્તો અને હજારોની સંખ્યામાં અનુયાયો સાથે 400થી વધુ ગાડીઓના કાફલા સાથે જૂનાગઢમાં નગર પ્રવેશ કર્યો હતો.

1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરી મહારાજ સૌથી નાની વયમાં જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જગતગુરૂૂના સાનિધ્યમાં હજારો સન્યાસીઓએ દીક્ષા લીધી છે. સનાતન ધર્મની જ્યોત હંમેશા માટે પ્રજ્વલિત રાખનાર આ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજનું વાજતે ગાજતે સામૈયા કરી જૂનાગઢમાં નગર પ્રવેશ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભવનાથ ક્ષેત્રના મહંત હરગીરી મહારાજ, ઇન્દ્ર ભારતીજી મહારાજ ,કાશી સુમેરુ મચના શંકરાચાર્ય, મહામંડલેશ્વર જયઅંબા ગીરી, મહામંડલેશ્વર કૈલાસ આનંદજી મહારાજ તેમજ અનેક સાધુ સંતોએ ભવ્યથી અતિ ભવ્ય ઢોલ, નગરા અને ડીજેના તાલે જગતગુરુનું સ્વાગત કરી નગર પ્રવેશ કરાવ્યો હતો, ત્યારે ઇન્દ્રભારતી મહારાજે દત્તચોકમાં પહોંચતા જ જગતગુરુ પર રૂૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જે બાદ તમામ સાધુ સંતો મહંતો અને જગતગુરુએ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી.

આજે અમે સૌ સાધુ સંતો મહંતો શંકરાચાર્ય મહામંડલેશ્વરોએ ભવનાથ મહાદેવ ,મુજકુંદ મહાદેવ, દામોદર કુંડ અને ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા હતા. સનાતન માટે જૂનાગઢ માટે આપણી પરંપરાઓ મુજબ હંમેશા સતત સાધુ સંતો પ્રયત્નશીલ હોય છે. જો કે વિશેષ આપણી સનાતનની ધરોહર અને આપણી સંસ્કૃતિમાં કોઈપણ પ્રકારની છેડછાડ ન થાય તેનું પૂરું ધ્યાન રાખીશું. જૂનાગઢની ચાલી આવતી પરંપરાઓને તોડવા માટે એન કેન પ્રકારે ઘણા પ્રયાસો થતા હોય છે. ત્યારે હવે આવા પ્રયત્નો સામે અમે લાલ આંખ કરીશું. અખાડા પરિષદમાં આજે જે ચર્ચા વિચારણા થઈ છે તે મુજબ આવનાર સમયમાં તમામ જાતિઓને જોડી તમામ સાધુ સંતોને જોડી સનાતનના દરેક પ્રકારના પ્રશ્નો નિરાકરણ લાવે તેવું એક ટ્રસ્ટ અને સંગઠન બનાવીશું. આ ટ્રસ્ટ સનાતન અને ભારતીય સંસ્કૃતિ માટે હંમેશા જાગૃત રહેશે. જેમાં ગામડાઓ થી માંડી મોટા શહેરો સુધીની સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE