કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 51 વર્ષથી ઉનાળાની ઋતુમાં અમૃત પીણું છાસ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ છાસ કેન્દ્રને છેલ્લા 27 વર્ષથી મનસુખલાલ જીવરાજભાઈ શાહ (ભાડલાવાળા) પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી જરૂરીયાતમંદ પરિવારના લોકો માટે ઉનાળામાં ત્રણ માસ વિનામુલ્યે છાસ વિતરણ કોઠારીયા નાકા ખાતે શરૂ કરવામાં આવેલ હતું જેનો સમાપન સમારંભ ડો. જી.યુ. મહેતાના હસ્તે રામ ઝરૂખા મંદિરના મહંત જેરામદાસજી મહારાજ, દર્શીતભાઈ જાની, મુરલીધર શાળાના મેનેજીંગ ટ્રસ્ટીના મુખ્ય મહેમાન પદે સહિતની ઉપસ્થિતિમાં સમાપન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છાસ કેન્દ્રનો દરરોજ 225 થી 250 જેટલા જરૂરીયાતવાળા પરિવારોએ લાભ લીધો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD