ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ૯૩.૨૩% ભરાઈ જતાં પીવાના અને સિંચાઈના પાણી માટે મોટી રાહત સર્જાઈ છે.
અહેવાલની મુખ્ય વિગતો
-
જળાશયોની સ્થિતિ: રાજ્યના ૧૭ જળાશયો ૧૦૦% ભરાઈને છલકાયા છે. જ્યારે ૪૨ જળાશયોમાં ૭૦% થી ૧૦૦% અને ૨૫ જળાશયોમાં ૫૦% થી ૭૦% સુધી જળસંગ્રહ થયો છે.
-
એલર્ટ અને સાવચેતી: પૂર્ણ સપાટી નજીક પહોંચેલા ૩૪ જળાશયોને ‘હાઈ એલર્ટ’, ૯ને ‘એલર્ટ’ અને ૧૬ જળાશયોને ‘ચેતવણી’ હેઠળ રાખવામાં આવ્યા છે.
-
તંત્રની તૈયારીઓ: જળાશયોમાં પાણીની સતત આવકને પગલે નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનોને સાવધ કરાયા છે અને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
Post Views: 12










