મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકો માટે ફરી એકવાર આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. રસોડાની શાન અને ‘ગરીબોની કસ્તૂરી’ ગણાતી ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. માર્કેટમાં ડુંગળીની આવક ઘટવાના કારણે અમદાવાદ સહિત રાજ્યભરના બજારોમાં ભાવ આસમાને પહોંચ્યા છે.
આવક ઘટતાં રિટેલ માર્કેટમાં ભાવ 70થી 80 રૂપિયે કિલો
-
ભાવમાં ભડકો: અમદાવાદના મુખ્ય શાકભાજી માર્કેટો અને રિટેલ બજારોમાં ડુંગળી હવે ₹70થી ₹80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
-
અછતનું કારણ: હોલસેલ માર્કેટમાં પાકને થયેલ નુકસાન અને પુરવઠામાં ઘટાડો થવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. માર્કેટ યાર્ડોમાં ઓછી આવકના કારણે વેપારીઓ પણ ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે.
ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
-
મર્યાદિત ખરીદી: ડુંગળીના ભાવ વધતાં મધ્યમ અને ગરીબ વર્ગની થાળીમાંથી ડુંગળી ગાયબ થઈ રહી છે અને લોકો મર્યાદિત માત્રામાં ખરીદી કરવા મજબૂર બન્યા છે.
-
રાહતની શક્યતા ક્યારે?: વેપારીઓના મતે, જ્યાં સુધી મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાંથી નવી ડુંગળીની આવક વિપુલ પ્રમાણમાં શરૂ નહીં થાય, ત્યાં સુધી ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે.
Post Views: 0











