May 14, 2025 9:53 am

દેવાયત ખવડને બ્રિજરાજ દાનનો લલકાર, કહ્યું સામી છાતીએ મોરે મોરા માટે તૈયાર, વિવાદ ભભૂક્યો

બ્રિજરાજ દાને કહ્યું કે સમાધાન કરવા હું નહોતો આવતો સમાધાન કરવા માટે આપે આપના 50 માણસોનો દોડાવ્યા હતા સાથેજ કહ્યું કે 18 વરણને સાથે લેવાની વાત કરો છો પણ એ યાદ નથી તમને કે તમારે 10 હજાર માણસની વચ્ચે માફી માંગવી પડી હતી.

બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચેનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો છે. સામ-સામે આક્ષેપબાજીનો દોર યથાવત રહેવા પામ્યો છે. દેવાયત ખવડને બ્રિજરાજ દાન દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે.. બ્રિજરાજ દાનનો દેવાયત ખવડ પર આક્રમક પ્રહાર કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું કે તમે તો સવાર-સાંજ રંગ બદલો છો એટલે જ લોકો તમને રાખી સાવંત કહે છે અને કાચિંડો કહે છે.

બ્રિજરાજ દાને કહ્યું કે સમાધાન કરવા હું નહોતો આવતો સમાધાન કરવા માટે આપે આપના 50 માણસોનો દોડાવ્યા હતા સાથેજ કહ્યું કે 18 વરણને સાથે લેવાની વાત કરો છો પણ એ યાદ નથી તમને કે તમારે 10 હજાર માણસની વચ્ચે માફી માંગવી પડી હતી.

બ્રિજરાજ દાને વધું ક્યું કે તમે અમારી કોપી કરીને તો જીવન જીવો છો, સાથે જ કહ્યું કે સિલેક્ટેડ ડાયરાની વાત કરી હતી તો સિલેક્ટેડનો મતલબ શું છે તમારા માટે

બ્રિજરાજ દાનના પ્રહાર દેવાયત ખવડના એ વીડિયોના જવાબમાં આવ્યા છે જેમાં દેવાયત ખવડે સમાધાન અને માફીને લઇને પોતાની વાત મુકી હતી..

વિવાદની શરૂઆત કઇ રીતે થઇ હતી ?

રૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રિજરાજદાન ગઢવીએ કહ્યુ હતુ કે, “જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.”

ધોળકના કોઠ ગામે લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, “મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.’

ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું

ત્યારબાદ બ્રિજરાજ દાન ગઢની અને દેવાયત ખવડ વચ્ચે મઢડા સોનબાઇ મંદિર ખાતે સમાધાન થયું હતું. . આ પ્રસંગે બંનેએ એક બીજાની માફી પણ માંગી હતી. બંને કલાકારોએ સમાધાનનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વીડિયોમાં બંનેએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મનદુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE