ડૉ. રશ્મીકાંતભાઈ મોદી દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પાણી બચાવો અભિયાનમાં લોકોને જોડાવાની કરાઈ અપીલ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૮૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે તેમજ વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે રાજકોટ સીટીમાં ૧૧,૧૧૧ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે. આ અનુસંધાને કાલાવડ રોડ, મોદી સ્કુલમાં વિધાર્થીઓ અને સ્ટાફગણને વરસાદી શુદ્ધ પાણી રીચાર્જ કરવાથી થતા ફાયદા વિષે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાએ માહિતી આપી અને સ્કૂલનાં ગ્રાઉન્ડમાં ૨૦૦ ફૂટનાં ૪ બોર કર્યા હતા.
આજુબાજુનાં રહેણાકવાળા હાઈરાઈજ બિલ્ડીંગમાં પીવાના પાણી માટે ૨૫૦૦ થી ૩,૦૦૦ ફૂટનાં બોર દ્વારા ભૂખરી વીંધીને ખારું, તુરુ અને ઉંચા ટીડીએસ વાળું પાણી આવવાથી લોકોની બીમારીઓમાં ખુબ વધારો થાય છે અને બિલ્ડીંગોમાં પાણીની પાઈપ લાઈનો જામ થય જતી હોય છે. એટલે કે પીવા લાયક નથી હોતું. આ બોર અને આવા ઘણા બીજા બોર બનવાથી જમીનમાં વરસાદી મીઠા પાણીના તળ ૨૫ થી ૫૦ ફૂટે આવશે.
જેથી ખુબ મોટી રાહત થશે, લોકો નીરોગી રહેશે અને દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે. મોદી સ્કૂલનાં ડૉ.રશ્મીકાંતભાઈ મોદીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની પાણી બચાવવાની પ્રવૃત્તિને દિલથી આવકારીને પોતાની દરેક પ્રોપર્ટીમાં વધારેમાં વધારે પાણી માટે રીચાર્જ બોર કરવા તેમજ ચેકડેમ બનવાનો પણ નિર્ણય લીધેલો છે અને વધારે માં વધારે આ કાર્ય ને ગતિ મળે તેના માટે તન, મન, ધનથી મદદ રૂપ થવાની વાત કરી છે. આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, ડૉ. રશ્મીકાંતભાઈ મોદી, આતમન મોદી, અમિતભાઈ મેઘપરા, જયસુખભાઈ હિરાણી, રમેશભાઈ જેતાણી, વિઠ્ઠલભાઈ બાલધા, તેમજ મોદી સ્કુલનાં શિક્ષક ગણ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD