લોકોના આરોગ્ય સાથે કરાતા ચેડાવ રણીરાજ બટર મિલ્ક છાશથી જાહેર આરોગ્ય જોખમમાં
લોકોના આરોગ્ય સાથે કરાતા ચેડા
વરણીરાજ બટર મિલ્ક છાશથી જાહેર આરોગ્ય જોખમમા
ઉત્પાદક સામે કાર્યવાહી કરવા ઉઠી માંગ
લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનું સામે આવ્યું છે. વરણીરાજ બટર મિલ્ક છાશથી જાહેર આરોગ્ય જોખમમાં મુકાશેની ગંભીરતા દર્શાવી ઉત્પાદક સામે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.
આવી છાશ પીવાથી આરોગ્ય જોખમમાં હોવાનું અનુભવેલ અરજદારે રાજકોટ ગ્રામ્યના ફ્રુડ સેફ્ટી વિભાગના ઇન્સ્પેકટરની લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, અમો સામાજિક કામ સબબ અમરેલી જઈ રહ્યા હતાં તે દરમ્યાન બાબરા અમરેલી ચોકડી પાસે ચા-પાણી પીવા માટે અને વિરામ માટે રસ્તામાં રોકાયેલ હોય અને પુજા રેસ્ટોરેન્ટમાં અમોએ નાસ્તો કરેલ. જેમાં રેસ્ટોરેન્ટમાં ઉક્ત કંપનીની વેંચાણ થતી છાશનો જથ્થો પુરો થઈ ગયેલ તેની આજુબાજુમાં રહેલ નાસ્તાની રેકડીઓ માંથી આ છાશનું વેંચાણ થાય છે જે જગ્યાએ છાસના બે પેકીંગ લીધા અને તેમાંથી એક છાશનુ પેકીંગ ખરાબ નીકળેલ તે અમોએ સ્થળ પર ફેંકી દીધલ અને બીજી છાશના પેકીંગની છાશ પીવાથી અમોને ફુડ પોઇઝનીંગની અસર પણ થયેલ છે.
તો આ અંગે સનાતન ડેરી ફાર્મ , રામાણી શેરી, ગોકુલ ચોક ,મું. ગોખલાણા, તાલુકો જસદણ, જિ.રાજકોટ વાળાએ FSSAI Lic .No 10720019000098 લીધેલ છે. તે લાયસન્સ અન્વયે ખાધ ચીજ વસ્તુઓ ઉત્પાદન કરતી વરણીરાજ બટર મિલ્ક છાશના ઉત્પાદક તેમની કંપની માંથી છાશની પેકીંગમાં ઉત્પાદન તારીખ અને એક્સ્પારીય તારીખ છાપ્યા વગરની જાહેરમાં છાશ વેંચી આસપાસની જાહેર જનતાનું આરોગ્ય જોખમમાં મુકે છે અને આ પેકીગમાં છાપેલ કસ્ટમર કેર નંબર ૯૮૨૪૧ ૩૦૩૩૨, ૯૭૨૪૪ ૨૮૨૪૪ ઉપર ફોન કરતા તેઓએ જણાવ્યુ હતુ કે અમો આ કંપની માંથી છુટા થઇ ગયેલ છીએ અને આ બાબતે હું કાઈ જાણતો નથી તેમ જણાવેલ. તો આ અંગે ઉકત બાબતે મને આ કંપનીના ઉત્પાદકો અને વિક્રેતા જાણી જોઈને પ્રજાના જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા તેવું જણાઇ આવે છે. તો ઉકત કંપની સામે ફોજદારી કાર્યવાહી કરવા વિનંતી. અને સાથે મુદ્દામાલ પેટે વરણીરાજ બટર મિલ્કની છાશનું પેકીંગ જમા કરીએ છે.
.